SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે દ્વેષ આવવાનું કાંઈ જ કારણ નથી. મળેલી સામગ્રીનો અહંકાર જ સામગ્રીહીનની પ્રત્યે દ્વેષ કરાવે છે. તમારી અપેક્ષાએ જેને અર્થ અને કામ ઓછા મળ્યા છે એવા લોકો પ્રત્યે દ્વેષ આવે છે જે તમારી દુકાન કે તમારા ઘર કરતાં જેને એ ખરાબ મળ્યા છે, અથવા મળ્યા નથી એવાઓની પ્રત્યે દ્વેષ આવતો નથી ને ? આવી જ રીતે આપણા જ્ઞાનાદિ કરતાં જેને તે હીનકોટિનાં મળ્યાં છે, તેની પ્રત્યે પણ દ્વેષ નથી આવતો ને ? તો સાચા ધમનિ પણ ધર્મહીનજનો પ્રત્યે દ્વેષ આવવાનું કોઈ કારણ નથી. એ દ્વેષથી દૂર રહેવા અહંકારથી દૂર રહેવાની જરૂર છે. અહંકારના કારણે ગુણો ગુણાભાસમાં પરિણમે છે. એ જાણ્યા પછી ધર્મી આત્માઓ શતિ અનુસાર પરોપકાર કરવામાં નિરત બનતા હોય છે. ગુણહીનોને ગુણની પ્રાપ્તિ માટે સહાયક બનવાનો ભાવ પરોપકાર છે. આ ભાવ જ નિરહકારિતાનું કારણ છે. અહકારીજનોમાં એ ભાવ હોતો નથી. એવા લોકો પરોપકાર કરે તો પોતાનું મહત્ત્વ સ્થાપન કરવા માટે એ કરે. વસ્તુતઃ એ પરોપકાર નથી. સાચી પરોપકારિતા વર્તમાનમાં લગભગ અદૃશ્ય બનતી જાય છે. એનું વાસ્તવિક કારણ ગુણની અર્થિતાનો અભાવ છે. પરોપકાર; ગુણના અનુબંધનું પ્રધાન કારણ છે. પ્રવૃત્તિ : આ રીતે પ્રણિધાન નામના પ્રથમ આશયને વર્ણવી દ્વિતીય આશયનું વર્ણન કરતાં ટીકાકારપરમર્ષિ ફરમાવે છે કે - પૂજા-પ્રતિક્રમણ કે સામાયિકાદિ જે અનુષ્ઠાન કરવાનું આપણે નિશ્ચિત કર્યું છે – એ - ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy