SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ૨૩૩ મિથ્યાત્વે વાધો રે, આરતધ્યાન કરે; તુજ આગમવાણી રે, સમકિતી ચિત્ત ધરે. મન, ૭. જેમ પુણીઓ શ્રાવક રે, સંતોષભાવ ધરે; નિત્ય જિનવર પૂજે રે, ફૂલપગર ભરે. મન૦ ૮. સંસારે ભમતાં રે, હું પણ આવી ભળ્યો; અંતરાય નિવારક રે, શ્રી શુભવીર મળ્યો. મન૦ ૯. કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિદાયિવિધાયિના, સુમનસા નિકરૈઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમનોગુણસંગિના, જન વિધેહિ નિધેહિ મનોડર્સને. ૧. મિથ્યાત્વથી વાસિત જીવ લાભાંતરાયનો ઉદય હોય ત્યારે આર્તધ્યાન કરે છે જ્યારે સમકિતીજીવ તે વખતે તમારા આગમની વાણીને ચિત્તમાં ધારણ કરે છે. ૭ જેમ પુણીયો શ્રાવક (અંતરાયનો ઉદય હોવાથી ફક્ત ૧રા દોકડા જ (રૂપિયાનો આઠમો ભાગ કમાતો હતો છતાં) સંતોષભાવ ધારણ કરતો હતો અને હંમેશા ફૂલપગર ભરી જિનેશ્વરની પૂજા કરતો હતો. ૮ હે પ્રભુ હું પણ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં આપની પાસે આવી ગયો છું. અને અંતરાયકર્મને નિવારનારા શ્રી શુભવીરપ્રભુ મને મળ્યા છે. ૯ કાવ્ય તથા મંત્રનો અર્થ- ઉત્તમ પુષ્પોના સમૂહ વડે પ્રભુપૂજન કરનારાઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્યજન ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy