SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી વીરવિજયજી કૃત અંતરાયકર્મ નિવારણની પૂજા પ્રથમ જળપૂજા દુહા શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુરુપાય, વંછિતપદ વરવા ભણી, ટાળીશું અંતરાય. ૧. જિમ રાજા રીજ્યો થકો, દેતાં દાન અપાર, ભંડારી ખીજ્યો થકો, વારં તો તેણી વાર. ૨. તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય, ધર્મ કર્મ સાધન જાણી, વિઘન કરે અંતરાય. ૩. અરિહાને અવલંબીને, તરીયે ઇણ સંસાર , અંતરાય ઉચ્છેદવા, પૂજા અષ્ટ પ્રકાર. ૪. દુહાનો અર્થ - શ્રી શંખેશ્વર પ્રભુને ચરણે મસ્તક નમાવી, શ્રી ગુરુભગવંતના ચરણમાં પ્રણામ કરી, વાંછિત પદ મેળવવા અંતરાયકર્મને ટાળશું. ૧. જેમ રાજા ખુશ થયો થકો પુષ્કળ દાન આપવા ભંડારીને હુકમ કરે, પણ જો ભંડારી ખીલેલો હોય તો અટકાવે છે, તેમ આ અંતરાયકર્મના ઉદયથી જીવ સંસારી કહેવાય છે. ધર્મ-કર્મના સાધનોમાં આ અંતરાયકર્મ વિઘ કરે છે. ૨-૩ અરિહંત પરમાત્માના આલંબનથી આ સંસાર તરી શકાય છે. તેથી અંતરાયકર્મનો ઉચ્છેદ કરવા પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરીએ.૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy