SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ જિનમાર્ગનું અનુશીલન સમર્થ જૈન ગ્રંથાલય નહીં હોવા અંગે હમણાં આપણા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ પોતાની જે વેદના વ્યક્ત કરી હતી, તેમ જ વિદ્યાલય જેવી સંસ્થાએ આ કાર્ય હાથ ધરવું જોઈએ એવી જે સૂચના કરી હતી તે સર્વથા યથાર્થ જ હતી. મુંબઈમાં જૈનોના બધા ય ફિરકાઓની વસતી ઘણી મોટી છે. વળી એમાં શ્રીમંતોની સંખ્યા પણ કંઈ જેવી તેવી નથી. ઉપરાંત દરેક ફિરકાની અનેક સંસ્થાઓ પણ ત્યાં છે. આ સ્થિતિમાં મુંબઈમાં આવું સર્વાગ સંપૂર્ણ જૈન ગ્રંથાલય ન હોય એ એને માટે નાલેશીરૂપ જ લેખાય. વળી, મુંબઈ તો ચોરાશી બંદરના વાવટાવાળું આંતરરાષ્ટ્રીય નગર છે; એટલે ત્યાં જૈન સંસ્કૃતિના અધ્યયનનું એક સમર્થ કેન્દ્ર હોવું જ જોઈએ, અને એ માટેના પ્રયત્નો સત્વર હાથ ધરવા જોઈએ. અમારી જાણ મુજબ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોનું ધ્યાન જૈન સાહિત્ય તરફ હવે સવિશેષપણે ગયું છે, અને પોતાને જરૂરી સહકાર મળે તો આવું એક ઉત્તમ ગ્રંથાલય અને જૈન સંસ્કૃતિના અધ્યયનનું એક સુંદર કેન્દ્ર સ્થાપવાની એની ઉમેદ છે. અહીં અમારો લખવાનો હેતુ આ કે તે સંસ્થા માટે ભલામણ કરવાનો નહીં, પણ આ માટેની આવશ્યકતા તરફ શ્રી સંઘનું ધ્યાન દોરવાનો જ છે. (તા. ૨૬-૧૧-૧૯૬૦) (૮) દષ્ટિસંપન્ન, લોકાભિમુખ વિધોપાસના જ ખપે થોડાક વખત પહેલાં, તા. ૨૪-૨૫ જૂનના દિવસોમાં, સાગર મુકામે, દિગંબર જૈન સમાજના જૈન-શિક્ષા-સંમેલનનું અધિવેશન, દિગંબર જૈન સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાનું પંડિત શ્રી કૈલાશચંદ્રજી શાસ્ત્રીના પ્રમુખપદે મળી ગયું. આ અધિવેશનનું ઉદ્દઘાટન કલકત્તાનિવાસી બાબુ શ્રી લક્ષ્મીચંદ્રજીએ કર્યું હતું. પં. શ્રી કૈલાશચંદ્રજીએ તેમ જ બાબુ શ્રી લક્ષ્મીચંદ્રજીએ પોતપોતાનાં ભાષણોમાં સમાજ અંગેના તથા વિશેષ કરીને શિક્ષણને લગતા કેટલાય મુદ્દાઓની વિચારણા કરી હતી. એમાંના કેટલાક મુદ્દાઓ આપણે પણ જાણવા-વિચારવા જેવા હોવાથી અહીં ઉદ્ધત કરીએ છીએ. પં શ્રી કૈલાશચંદ્રજીએ પોતાના વક્તવ્યના પ્રારંભમાં જ કોઈ પણ ધર્મનું યથાર્થ જ્ઞાન મેળવવા માટે અન્ય ધર્મો સંબંધી માહિતી જરૂરી હોવા અંગે જણાવ્યું હતું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy