SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન છે તથા તેનું તત્ત્વજ્ઞાન પણ વિકસાવ્યું છે. એક મત એવો છે કે મહર્ષિ પતંજલિએ યોગનું માત્ર અનુશાસન' કરેલ છે, અર્થાત્ જે ઉપદેશ અગાઉ જુદી જુદી રીતે અપાઈ ચૂક્યો હતો તે સિદ્ધાંતોનું એક જ ગ્રંથમાં નવેસરથી વ્યવસ્થિત પ્રતિપાદન કર્યું છે. આથી તેમને યોગ દર્શનના પ્રવર્તક નહીં કહેતાં પ્રચારક કે સંશોધક કહેવા વધુ ઉચિત છે. સ્વયં મહર્ષિ પતંજલિ પોતે પણ પોતાને યોગ દર્શનના પ્રથમ પ્રણેતા માનતા નથી, આથી તેમણે “થ યોગાનુશાસન સત્રથી પોતાના શાસ્ત્રની શરૂઆત કરી છે. (૩) સાહિત્ય મહર્ષિ પતંજલિકૃત યોગસૂત્ર' યોગ દર્શનનો પ્રથમ ગ્રંથ છે. આ યોગસૂત્ર'માં ૧૯૫ જેટલાં સૂત્રો છે. તે ચાર ભાગમાં વિભક્ત છે. પહેલો “સમાધિપાદ' સમાધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય દર્શાવે છે. બીજો ‘સાધનપાદ' સમાધિ કયાં સાધનોથી મેળવાય તે દર્શાવે છે. ત્રીજો વિભૂતિપાદ' યોગાભ્યાસ દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વર્ણન કરે છે. ચોથો (કૈવલ્યપાદ' મોક્ષનું નિરૂપણ કરે છે. યોગસૂત્ર'નો સમય નક્કી કરવો મુશ્કેલ છે. પણ તેના ઉપર ચોથા કે પાંચમા સૈકામાં લખાયેલો ‘વ્યાસભાષ્ય' નામનો પ્રસિદ્ધ અને પ્રામાણિક ગ્રંથ છે. આ વ્યાસભાષ્ય'ના રચયિતા પુરાણોના રચયિતા મહર્ષિ વ્યાસ નહીં જ હોય, કારણ કે વેદવ્યાસનો સમય તેના કરતાં પ્રાચીન છે; જ્યારે ‘વ્યાસભાષ્ય'ના રચયિતા વ્યાસ મુનિ તો ઈ.સ.ની ચોથી કે પાંચમી સદીમાં થઈ ગયા. આ ગ્રંથમાં ગૂઢ રહસ્યો સમજાવવા માટે જે પ્રયત્નો થયા, તેના પરિણામરૂપે શ્રી વાચસ્પતિ મિશ્ર (ઈ.સ. ૯૦૦) તત્ત્વવૈશારદી' નામની ટીકા લખી અને શ્રી વિજ્ઞાનભિક્ષુએ (ઈ.સ. ૧૬૦૦) યોગવાર્તિક' નામની ટીકા લખી. આ ઉપરાંત શ્રી વિજ્ઞાનભિક્ષુએ યોગસાર સંગ્રહ'માં યોગના સિદ્ધાંતોનો સારાંશ રજૂ કર્યો છે. આ ઉપરાંત પણ યોગસૂત્ર' ઉપર અનેક ટીકાઓ લખાઈ છે, જેમાં શ્રી ભોજદેવકૃત (ઈ.સ. ૧૦૦૦) ‘રાજમાર્તડ’ કે ‘ભોજવૃત્તિ', શ્રી નાગેશકૃત (ઈ.સ. ૧૭૦૦) છાયાવ્યાખ્યા', શ્રી નારાયણતીર્થની યોગસિદ્ધાંત ચંદ્રિકા' તથા “સૂત્રાર્થબોધિની', શ્રી રામાનંદ સરસ્વતીની “યોગમણિપ્રભા', શ્રી અનંત પંડિતની યોગચંદ્રિકા', શ્રી સદાશિવેન્દ્ર સરસ્વતીની યોગસુધાકર' આદિ ટીકાઓ પ્રસિદ્ધ છે. (૪) સાંખ્ય - યોગ દર્શન વચ્ચે સંબંધ જેમ ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન પરસ્પર સંકળાયેલાં છે, તેમ સાંખ્ય દર્શન અને યોગ દર્શન પણ પરસ્પર સંકળાયેલાં છે. તે બન્ને પરસ્પર પૂરક છે. સાંખ્ય દર્શન મુખ્યત્વે સિદ્ધાંતલક્ષી (theoritical) છે, જ્યારે યોગ દર્શન મુખ્યત્વે સાધનાલક્ષી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy