SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ષડ્રદર્શનપરિચય - વૈશેષિક દર્શન પ૯૩ પરાકાષ્ઠાને પરમ મહત્ત્વ કહે છે અને સૌથી નીચી પરાકાષ્ઠાને પરમાણુત્વ કહે છે. એ બન્ને કક્ષાઓ પ્રત્યક્ષથી પર છે, પરંતુ અનુમાન દ્વારા જાણી શકાય છે. પરમાણુઓ સૃષ્ટિનું ઉપાદાનકારણ છે અને જે ગુણો ઉપાદાનકારણમાં હોય તે કાર્યમાં પ્રગટ થાય છે અને એ રીતે પરમાણુઓના સંયોગથી ઉત્પન્ન કાર્યદ્રવ્યોમાં પણ કારણરૂપ પરમાણુઓમાં જે ગુણો હોય તે જ ગુણો હશે. આ ગુણોના આધારે જ ચાર પ્રકારના પરમાણુઓ માનવામાં આવેલ છે - ૧) પાર્થિવ ૨) જલીય ૩) તૈજસ ૪) વાયવીય. વૈશેષિકમત અનુસાર જગતમાં થતા ફેરફારોનું કારણ એ છે કે વસ્તુના ઘટક એવાં નિરવયવી અને અવિનાશી પરમાણુઓમાં વધારો ઘટાડો થતો રહે છે. સર્જનમાં અણુઓ અસંયોજિત સ્થિતિમાં રહેતાં નથી. અણુઓ પરિસ્પદ નામનું ધ્રુજારીનું બળ ધરાવે છે. સમસ્ત ભૌતિક જગત ચાર પ્રકારનાં દ્રવ્યોનાં પરમાણુઓના સંયોગનું પરિણામ છે. સૃષ્ટિના પ્રભાવ અને પ્રલયમાં આ પરમાણુઓ ઈશ્વરના અધ્યક્ષપણા નીચે પરિણામી બને છે. (૩) ઈશ્વર વિષે વિચાર - શ્રી કણાદનાં સૂત્રોમાં ઈશ્વરનો ઉલ્લેખ નથી. પરંતુ પાછળથી શ્રી પ્રશસ્તપાદે ઈશ્વરતત્ત્વનો સ્વીકાર કર્યો હતો. અણુઓ અને અદૃષ્ટનું નિયમન અને સંચાલન કરનાર કોઈ ચૈતન્યતત્ત્વ હોવું જોઈએ અને એ તત્ત્વ તે ઈશ્વર છે એવી તેમણે કલ્પના કરી, કારણ કે અણુઓ જડ છે અને એવા જડ અણુઓ દ્વારા આ વિશ્વનું વ્યવસ્થિત સંચાલન થાય નહીં. એટલે અનુમાન દ્વારા તેમજ શ્રુતિના પ્રમાણ દ્વારા એક સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ઈશ્વર સ્વીકારવો જ પડે છે એમ તેઓ કહે છે. વળી, વેદો દોષરહિત છે, તો તેનો પ્રણેતા પણ એવો જ દોષરહિત હોવો જોઈએ. આમ, ઈશ્વરતત્ત્વનો સ્વીકાર વૈશેષિક દર્શનને પણ આખરે કરવો પડ્યો. તેમના મત મુજબ અણુઓમાં પોતાની ગતિ નથી, તેથી અણુઓને ગતિમાન કરનાર કોઈ શક્તિ હોવી જોઈએ. એ શક્તિ તે ઈશ્વર છે એમ તેમનું કહેવું છે. શ્રી પ્રશસ્તપાદે સૃષ્ટિના કર્તા તરીકે મહેશ્વરને માન્યા છે. મહેશ્વરના કેવળ સંકલ્પથી સર્જન અને સંહાર થાય છે. મહેશ્વર સર્જનચ્છાથી પાંચ મહાભૂતોને, શરીરધારીઓને રહેવાનાં સ્થાનોને અને બહ્માને સર્જે છે. જીવસૃષ્ટિનું સર્જન બહ્મા કરે છે અને બહ્મા જ જીવોને તેમનાં કર્મો પ્રમાણે જ્ઞાન, ભોગ, આયુ, યોનિ બક્ષે છે. તેથી બ્રહ્માને લોકપિતામહ કહ્યા છે. બ્રહ્મા દરેક સર્ગમાં જુદા છે, જ્યારે મહેશ્વર તો એક અને નિત્ય છે. મહેશ્વરમાં કેવળ ઇચ્છા છે, જ્યારે બ્રહ્મામાં જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યા છે. બહ્મા બધાં જ પ્રાણીઓના ધર્માધર્મના જ્ઞાતા છે અને અસીમ શક્તિશાળી છે. તેમને ન તો કોઈ પ્રત્યે રાગ છે કે ન તો કોઈ પ્રત્યે દ્વેષ છે. તેઓ પક્ષપાતરહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy