SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન ૫૫૫ અંતર્ગત છે. સંસ્કાર સ્કંધ એ પૂર્વાનુભવે પાડેલા સંસ્કારો છે. ઉપર જણાવેલ રૂપાદિ પાંચે સ્કંધોનો સંઘાત, અર્થાત્ સમૂહ એ જ આત્મા છે. આ સંઘાતથી ભિન્ન કે એની અંદર ગર્ભિતપણે રહેલું બીજું કોઈ તત્ત્વ નથી એમ બૌદ્ધમતાનુયાયીઓ માને છે. આમ, આત્મા પણ અમુક શારીરિક અને માનસિક અવયવોના સંઘાત અથવા સમૂહને ઓળખવાની સંજ્ઞામાત્ર છે. પરિવર્તન પામતાં આ શરીર અને મનનું જે સાતત્ય - fluid continuity છે એનું નામ જ આત્મા છે અને એ જ મનુષ્યજીવન છે. (૨) વિશ્વ વિષે વિચાર શાશ્વતવાદ મુજબ વસ્તુ નિત્ય છે અને તે અનાદિ-અનંત છે. તેનું ન તો કોઈ કારણ છે, ન તો તે કોઈ વસ્તુ ઉપર આધારિત છે. ઉચ્છેદવાદ (વિનાશવાદ) અનુસાર વસ્તુનો નાશ થઈ ગયા પછી તેનું કાંઈ પણ બાકી રહેતું નથી. મહાત્મા બુદ્ધ આ બન્ને એકાંતિક મતોનો ત્યાગ કરી વચલો માર્ગ ગ્રહણ કરે છે. આ મત પ્રતીત્યસમુત્પાદવાદના નામે ઓળખાય છે. આ નિયમ મુજબ કોઈ એક વસ્તુની હાજરીથી બીજી કોઈ વસ્તુની ઉત્પત્તિ થાય છે. વસ્તુઓ છે તેમાં કાંઈ શંકા નથી, પણ તે નિત્ય નથી, તેની ઉત્પત્તિ બીજી વસ્તુઓમાંથી થાય છે. પરંતુ સાથે સાથે એ પણ જોવાનું છે કે વસ્તુઓનો સંપૂર્ણ નાશ પણ થતો નથી. તેનું કેટલુંક કાર્ય કે પરિણામ અવશ્ય બાકી રહી જાય છે. આ નિયમ સાર્વત્રિક છે, તેમાં કશા અપવાદને સ્થાન નથી. આ સિદ્ધાંત ન તો પૂર્ણ નિત્યવાદને ટેકો આપે છે કે ન તો પૂર્ણ ઉચ્છેદવાદને ટેકો આપે છે. પ્રતીત્યસમુત્પાદવાદનું સૂક્ષ્મ રૂપ એ જ ક્ષણિકવાદ અથવા ક્ષણભંગવાદ છે. આ વાદ અનુસાર જગતની બધી વસ્તુઓ ક્ષણિક છે. જગતની બધી જ વસ્તુઓની સત્તા માત્ર ક્ષણભર ટકી રહેવાવાળી છે. બીજી જ ક્ષણે તેનો નાશ થઈ જાય છે. “સંયુત્તનિકાય'માં કહ્યા પ્રમાણે પ્રત્યેક વસ્તુ પરિવર્તનશીલ છે. પ્રત્યેક વસ્તુ સત્ (being) છે, તે એક અતિવાદ છે અને પ્રત્યેક વસ્તુ અસત્ (non-being) છે, તે બીજો અતિવાદ છે. મહાત્મા બુદ્ધે આ બન્ને મતનો ઇન્કાર કર્યો અને દર્શાવ્યું કે આ વિશ્વ (અને મનુષ્ય સુધ્ધાં) પરિવર્તન પામતી પ્રક્રિયાઓ (becoming) છે. પ્રત્યેક પદાર્થ પ્રતિક્ષણ બદલાય છે અને તેથી જગતના સર્વ પદાર્થો અનિત્ય અથવા પરિવર્તનશીલ છે. પ્રત્યેક વસ્તુ એક ક્ષણે જેવી હોય છે તેવી જ બીજી ક્ષણે હોતી નથી, અર્થાત્ પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ બદલાતી રહે છે. ક્ષણિકવાદના ટેકામાં દલીલો રજૂ કરતાં બૌદ્ધો કહે છે કે જે વસ્તુ સસલાનાં શીંગડાંની માફક સર્વથા અસતું હોય, તેમાંથી કોઈ ઉત્પત્તિ કે નાશ થવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. એક વસ્તુમાં એક ક્ષણે એક જ કાર્ય (પરિણામ) ઉત્પન્ન થઈ શકે અને બીજી ક્ષણે બીજું કાર્ય ઉત્પન્ન થાય. દા.ત. કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy