SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્રદર્શનપરિચય - જૈન દર્શન ૫૩૧ (૧) તબિયત સારી છે. (૨) તબિયત સારી નથી. (૩) કાલ કરતાં સારી છે, પણ એવી સારી નથી કે આશા રાખી શકાય. (૪) સારી છે કે ખરાબ કંઈ કહી શકાતું નથી. (૫) કાલથી સારી છે, છતાં કહી શકાતું નથી કે શું થશે? (૬) કાલથી સારી નથી, છતાં કહી શકાતું નથી કે શું થશે? (૭) આમ તો સારી નથી, પણ કાલ કરતાં સારી છે; છતાં કહી શકાતું નથી કે શું થશે? સપ્તભંગીનો આધાર નયવાદ છે અને એનું ધ્યેય સમન્વય કરવાનું, અર્થાત્ અનેકાંત કોટિનું દર્શન કરાવવાનું છે. કોઈ પણ એક વસ્તુ વિષે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકોની માન્યતામાં જે ભેદ જણાતો હોય તે ભેદ વિરોધરૂપ છે કે નહીં અને જો વિરોધરૂપ ન હોય તો દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવવો, અર્થાત્ ધર્મવિષયક દૃષ્ટિભેદો દેખાતા હોય ત્યારે એવા ભેદોનો પ્રમાણપૂર્વક સમન્વય કરી, બધી સાચી દૃષ્ટિઓને યોગ્ય સ્થાનમાં ગોઠવી ન્યાય આપવો એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ રહેલું છે. અનેકાંતવાદ એટલે વિચારમાં પણ અહિંસા, કારણ કે અનેકાંતવાદ એટલે વિરોધ પક્ષનાં મંતવ્યોની આદરપૂર્વક વિચારણા કરવી અને પોતાના પક્ષનાં મંતવ્યોની પણ પ્રામાણિકપણે મધ્યસ્થ ભાવે, સત્યની જિજ્ઞાસાથી કડક આલોચના કરવી અને મિથ્યા અભિમાનનો ત્યાગ કરી, પોતાની ભૂલ હોય તે સુધારવી તથા ઉદારતા અને વિવેકબુદ્ધિથી ઉત્તમ તત્ત્વોનો સમન્વય કરવો. એટલા માટે ભગવાન મહાવીરે અનેકાંતવાદને ચારિત્રવિકાસના સાધન તરીકે પણ અપનાવ્યો. અનેકાંતવાદને જીવનમાં ઉતારવાથી રાગદ્વેષ ઘટે છે, વિસંવાદ દૂર થાય છે, ક્લેશ ઓછો થાય છે, સમભાવ જન્મે છે, મિત્રતા વિકસે છે અને સંવાદ તથા શાંતિ સ્થપાય છે. આથી જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં સમાધાન, શાંતિ અને સંવાદ સ્થાપવા માટે અનેકાંતવાદ ઉત્તમ ફાળો આપી શકે એમ છે. (III) તત્ત્વમીમાંસા (૧) આત્મા વિષે વિચાર જૈન દર્શન અનુસાર જીવનું લક્ષણ ઉપયોગ છે, અર્થાત્ ચેતના છે. જ્ઞાન અને ૧- જૈન દર્શનની સૈદ્ધાંતિક વિચારણા ગાથાઓનાં વિવેચનમાં કરવામાં આવી હોવાથી અહીં તેનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy