SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ 478 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મતા હો અને સ્વચ્છંદ સરળતાથી દૂર કરી શકાય છે. સદ્ગુરુના યોગ વિના કોટિ ઉપાય કરવાથી જે આત્મદર્શન નથી થઈ શકતું, તે સદ્ગુરુકૃપાથી અને શરણથી સહજ દર્શન કરાવે છે. આમ, જીવના સ્વચ્છંદને તોડવા માટે, અહંના નાશ માટે શ્રીમદે સદ્દગુરુનું શરણ લેવાનું સૂચન કર્યું છે. સ્વચ્છેદરહિતપણે થયેલા આજ્ઞાપાલનને તેમણે સમકિત કહ્યું છે. તેઓ લખે છે - રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. (15) પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વચ્છેદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. (16) સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” (17) માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.' (18) આમ, શ્રીમદે સદ્દગુરુનો અપાર મહિમા બતાવ્યો છે. ગુરુગમથી મેળવેલું જ્ઞાન યથાર્થરૂપે પરિણમે છે. પોતાના બુદ્ધિબળથી મેળવેલું જ્ઞાન અથવા ગ્રંથો વાંચીને મેળવેલું જ્ઞાન અનુભવયુક્ત જ્ઞાન બની શકતું નથી. શાસ્ત્રમાં જ્ઞાન છે, પણ તેનો મર્મ તો સદ્દગુરુના હૃદયમાં હોય છે. શાસ્ત્ર વાંચવાથી શાબ્દિક જ્ઞાન તો મળી રહે છે, પરંતુ તેનાં રહસ્યો તો સદ્ગુરુના અંતરમાં છુપાયેલાં છે. પરમાર્થ આત્મા એક સપુરુષને વિષે જ છે. શાસ્ત્રના આધારે માર્ગ પામવો અત્યંત દુષ્કર છે. નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગઅપવાદ આદિ શાસ્ત્રની અનેકદેશીય ઘટનામાંથી તત્ત્વાર્થનું તારણ કાઢવું શક્ય નથી. ગુરુચરણના સેવન વિના શાસ્ત્રનાં રહસ્યો ઉકેલી શકાતાં નથી, તેથી જે જીવ ગુરુની નિશ્રામાં રહીને અભ્યાસ કરે છે, તે શાસ્ત્રોનાં રહસ્યોને પામી શકે છે. યોગ્ય શિષ્યને ગુરુ આત્મજ્ઞાનની ચાવી આપે છે, જેના વડે તે આત્મખજાનો પ્રાપ્ત કરી શકે છે. અનેક ગ્રંથોનાં અધ્યયન કરતાં સદ્ગુરુનું મૂલ્ય અનેકગણું છે. શ્રીમદે દર્શાવ્યું છે કે શાસ્ત્ર, અર્થાત્ પરોક્ષ જિનેશ્વરનાં વચનો કરતાં સદ્ગુરુની મહત્તા વધારે છે. પ્રત્યક્ષ સદ્ગુરુ પરોક્ષ જિન ભગવાન કરતાં પણ વધુ ઉપકારી છે. આ તથ્યને રજૂ કરતાં શ્રીમદ્ લખે છે - પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” (11) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy