SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૩૮૫ કરવાની શક્તિ તે “રસિકતા'. રસ એ કાવ્યની પ્રથમ આવશ્યકતા છે, એટલે રસ એ સાધ્ય છે અને છંદ, કલ્પના, વિચાર, અલંકારો વગેરે તે રસને વહેવડાવવાનાં સાધન છે. સાધ્ય કે સાધન બન્નેમાંથી એકની પણ સદંતર ઉપેક્ષા ન જ થઈ શકે. શિષ્ટ તથા મધુર ભાષા, યોગ્ય શબ્દોની પસંદગી અને તેની સુસંવાદી ગોઠવણી - એ સર્વ કાવ્યનાં આવશ્યક અંગ છે. ક્લિષ્ટ, ગ્રામ્ય કે અપરિચિત શબ્દો રસમાં ક્ષતિ ઊભી કરે છે. લલિત, સરળ અને વિશુદ્ધ ભાષા રસમાં વૃદ્ધિ કરે છે. રસ અથવા ભાવ તે કાવ્યનું મુખ્ય અંગ છે, કાવ્યનો પ્રાણ છે, તેથી એ જરૂરી છે કે કાવ્યનિર્માણમાં ભાવનું મહત્ત્વ યથાવત્ સ્વીકારવામાં આવે અને છંદ, પદલાલિત્ય, શબ્દચમત્કૃતિ વગેરે સાધનભૂત અંગોને કાવ્યપ્રાણભૂત તત્ત્વ તરીકે નહીં પણ કાવ્યઘટનામાં ગૌણ, અંગભૂત, પરિચારકરૂપ સામગ્રી તરીકે સ્વીકારવામાં આવે; અર્થાતુ ન એ તત્ત્વોને પ્રધાનસ્થાને ગણવામાં આવે કે ન એને સર્વથા અવગણવામાં આવે. તાત્ત્વિક દૃષ્ટિએ કવિતા માટે છંદ અનિવાર્ય નથી. સંસ્કૃતકાવ્યશાસ્ત્રમાં તો કહ્યું છે કે “વાર્થ પદ્ય ગદ્ય' અર્થાત્ કવિતા પદ્યમાં - છંદમાં પણ હોય અને ગદ્યમાં પણ હોય. છંદ વિના પણ કવિતા રચી શકાય. આમ છતાં છંદ સાથેનો કવિતાનો સંબંધ ઘણો જૂનો છે. મોટા ભાગની કવિતા છંદોબદ્ધ છે. ભૂતકાળના મહાન કવિઓએ પોતાની કવિતાઓને મુખ્યત્વે છંદોમાં જ રચી છે. લગભગ વેદકાળથી કવિતાઓ છંદોબદ્ધ થતી આવી છે, તેથી લોકમાનસમાં એક એવો સામાન્ય ખ્યાલ બંધાઈ ગયો છે કે કવિતા છંદોબદ્ધ જ હોય. એ સાચું છે કે સામાન્ય રીતે કવિતા છંદમાં જોવામાં આવે છે, છતાં કવિતા છંદનાં બંધનો વિના પણ રચી શકાય છે. આમ, પદ્ય રચનાના મુખ્ય બે વર્ગ પડે છે - (૧) અબદ્ધ અને (૨) નિબદ્ધ (૧) અબદ્ધ પદ્યરચના એટલે ચરણોની સંખ્યાનાં વિવિધ બંધનોથી મુક્ત પદ્યરચના. એ બંધનોના ત્યાગના કારણે એમાં ભાવપ્રદર્શનને વિશેષ અવકાશ મળે છે. નિબદ્ધ પદ્યરચનામાં જેમ વક્તવ્ય શ્લોક કે કડીના ચોકઠામાં બરાબર સમાઈ શકે એવું ન હોય તો વધ-ઘટ કરી તે વક્તવ્યને સદર ચોકઠામાં બંધબેસતું બનાવવું પડે છે; તેમ અબદ્ધ પદ્યરચનામાં એવો પ્રસંગ ઊભો થતો નથી. એમાં નિરર્થક કે પાદપૂરક શબ્દનો ઉપયોગ કરવો પડતો નથી. એની ખૂબી એ છે કે એમાં ગદ્યની સ્વાભાવિકતા ઉતારી શકાય છે. યતિકૃત કૃત્રિમ વિરામથી ખચકાટ પામ્યા વિના એ રચના અસ્મલિત ગતિથી આગળ વધે છે અને આખું કાવ્ય એક મહાપદ્ય બની રહે છે. એને પ્રાસ કે ઝડઝમકનો શણગાર પણ જરૂરી રહેતો નથી. એનાં મુખ્ય લક્ષણો આટલાં ગણાવી શકાય ૧- યતિ = પંક્તિઓ વાંચતી વખતે અમુક માત્રા પછી વિરામ લેવાની જરૂર પડે છે. આવા વિરામસ્થાનને યતિ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy