SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૧૨૭ 'અર્થ ગાથા ૧૨૬માં સુશિષ્ય કહ્યું કે ‘દેહ આદિ તમામ વસ્તુઓ જેના ઉપર ભૂમિકા | મારી માલિકી ગણાય છે તે હું આજથી આપને સમર્પિત કરું છું, કારણ કે આપે મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે. પોતે શ્રીગુરુનો દાસાનુદાસ છે, તેથી તેના દેહાદિ આજથી શ્રીગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તશે એમ સુશિષ્ય ભક્તિભાવથી આત્મનિવેદન કર્યું છે. પોતાનું સર્વસ્વ અર્પણ કર્યા પછી પણ સુશિષ્યના ચિત્તમાંથી શ્રીગુરુના મહાન ઉપકારનું સ્મરણ ખસતું નથી. શ્રીગુરુએ કરેલ અપાર, અદ્ભુત, અલૌકિક ઉપકાર વારંવાર યાદ આવતાં તેનું હૃદય અહોભાવથી ઉભરાય છે. શ્રીગુરુએ તેના ઉપર કેવો ઉપકાર કર્યો છે તે દર્શાવતાં આ વિભાગની અંતિમ ગાથામાં તે કહે છે – ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; ગાથા મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ.” (૧૨૭) - - છયે સ્થાનક સમજાવીને હે સદ્ગુરુ દેવ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે અપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. (૧૨૭). શ્રીગુરુએ સમ્યગ્દર્શનના નિવાસભૂત એવાં આત્માનાં છ પદ જેમ છે તેમ ભાવાર્થ ૧] સમજાવ્યાં. ‘આત્મા છે', “આત્મા નિત્ય છે', ‘આત્મા કર્તા છે', ‘આત્મા ભોક્તા છે', “મોક્ષ છે' અને “મોક્ષનો ઉપાય છે' - એ છે સ્થાનકો વિષેની બધી શંકાઓ દૂર કરી તે છ પદ યથાતથ્ય સમજાવ્યાં, તેમજ પ્રયોજનભૂત અને ઉપાદેયતત્ત્વ એવો આત્મા સુપ્રતીતિ કરાવ્યો. જેમ મ્યાનથી તલવાર ભિન્ન છે, તેમ આત્મા શરીરથી ભિન્ન છે એમ સ્પષ્ટપણે સમજાવી તેનો અનુભવ કરાવ્યો. દેહાદિથી સ્પષ્ટ જુદો એવો જ્ઞાયક આત્મા બતાવી, અનુભવ કરાવી શ્રીગુરુએ સુશિષ્ય ઉપર પરમ ઉપકાર કર્યો છે. શ્રીગુરુના અપૂર્વ બોધથી અનાદિ અજ્ઞાનરૂપી ૧- ‘શિષ્યબોધબીજપ્રાપ્તિકથન' વિભાગની આ નવમી અને અંતિમ ગાથા છે. આ ગાથા પછી શિષ્ય કંઈ પણ કહેતો નથી અને શ્રીગુરુનું વક્તવ્ય તો પહેલેથી જ સમાપ્ત થઈ ગયું છે. આમ, ગાથા ૪૫થી શરૂ થયેલો ગુરુશિષ્યસંવાદ અહીં પૂર્ણતા પામે છે. ત્યારપછી ઉપસંહારરૂપે શ્રીમદ્ ૧૫ ગાથા દ્વારા અગત્યના મુદાઓ અને સલાહરૂપ વચનો કહી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો વિષય પૂર્ણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy