SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૮ ૬૩૫ છે. તેમની અંતર્મુખ પુરુષાર્થસભર ચેષ્ટા આત્મિક પરિણતિયુક્ત હોય છે. બાહ્ય યોગચેષ્ટા વખતે પણ અંતરમાં આત્મસ્વાસ્થ્ય એવું ને એવું જ રહે છે. તેઓ યોગક્રિયામાં વર્તતી વખતે પણ નિરંતર અસંગપણાને જ ભજે છે. ‘હું જ્ઞાતા-દ્રષ્ટા છું, અસંગ છું' એવી દૃષ્ટિએ વર્તવાનો પુરુષાર્થ તો તે વખતે પણ ચાલુ રહે છે. ત્રણે યોગની પ્રવૃત્તિ કરતા હોવા છતાં નજર નિશાન ઉપર જ હોય છે, ચિત્ત આત્મસન્મુખ જ હોય છે. ચિત્તવૃત્તિપ્રવાહ સ્વરૂપની સન્મુખ જ રહે છે. તેમનું શરીર સંસારમાં અને ચિત્ત મોક્ષમાં હોય છે. તેમની પકડમાંથી શુદ્ધાત્મા ખસતો નથી. ગમે તેવા કર્મોદયમાં પણ તેઓ શુદ્ધાત્માની પકડ જાળવી રાખે છે. જ્ઞાની આવી અનુભવધારામાં ન રહી શકે ત્યારે લક્ષધારામાં રહે છે. લક્ષધારામાં હોય ત્યારે થતી ધર્મોપદેશ આદિ પ્રવૃત્તિ શિષ્યને આત્મવિકાસમાં ખૂબ સહાયક નીવડે છે. સ્વરૂપમાં પુનઃ એકાગ્રતા સધાતાં તેઓ સમાધિમાં નિમગ્ન થાય છે, અર્થાત્ લક્ષધારામાંથી અનુભવધારામાં સુસ્થિત થાય છે. શ્રીગુરુએ સુપાત્ર શિષ્યના નિમિત્તે જે વાણીયોગ પ્રવર્તાવ્યો હતો, તેમાંથી ઉપયોગ પાછો વાળીને તેઓ સ્વરૂપમાં સ્થિર થાય છે. શ્રીગુરુની વાણી જે સહજતાથી પ્રગટી હતી, તે સહજતાથી અટકી જાય છે. સુશિષ્યના પુણ્યયોગના નિમિત્તે ભાષા વર્ગણાનો જેટલો યોગ હતો, તેટલાં વચન નીકળ્યાં. હવે જે પરિણામો વચનવિષયમાં પ્રવર્તતાં હતાં, તે પરિણામો સ્વવસ્તુસ્વભાવના વેદનમાં પ્રવર્તવાં લાગ્યાં. જે ભાવમન વિકલ્પસમૂહના કારણે ચલાયમાન થઈ પ્રવર્તતું હતું, તે ભાવમન સર્વ વિકલ્પોથી વિરામ પામ્યું અને સ્વવસ્તુસ્વભાવના અનુભવરૂપે પ્રવર્ત્યે. આવી અદ્ભુત સમાધિદશા શ્રીગુરુને વારંવાર સહજ વર્તતી હોય છે. મોક્ષનો અપરિચિત માર્ગ બતાવી અનન્ય ઉપકાર કરનાર શ્રીગુરુની તો દશા જ કંઈક નિરાળી છે! શ્રીગુરુ સંસારના કિનારા ઉપર હોવા છતાં પણ સંસારના કિનારે નથી. આ કિનારા ઉપર હોવા છતાં જાણે બીજા કિનારા ઉપર છે! તેઓ આ વિશ્વમાં છે, પણ આ વિશ્વના નથી! તેઓ જગતજીવો જેવા દેખાય છે પણ તેમના જેવા નથી! દેહાદિ યોગની પ્રવૃત્તિમાં હોય અથવા શિષ્યની સમસ્યાનું સમાધાન કરતા હોય ત્યારે ચર્મચક્ષુએ જોવામાં આવે તો તેઓ આ કિનારાના લાગે, જગતજીવો જેવા લાગે; પરંતુ જ્યારે અંતરંગ દૃષ્ટિથી જોવામાં આવે તો તેમની વિદેહી દશાનું ભાન થાય. ત્યારે સમજાય છે કે તેમને જગતજીવો જેવા જ માનવા એથી વિશેષ મૂર્ખતા બીજી કોઈ હોઈ ન શકે. તેઓ દેહાદિની પ્રવૃત્તિમાં હોય કે શિષ્યને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય સમજાવતા હોય, તેમની વૃત્તિ આત્મસન્મુખ જ હોય છે અને આત્મલીનતા સધાતાં તેઓ સહજ સમાધિમાં સ્થિત થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy