SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૮ ૬૩૩ નથી અને સ્વરૂપસ્થિરતામાં અત્યંતપણે બાધક પણ નથી. ફરી પાછો શુદ્ધ ઉપયોગ સધાતાં તેઓ સાતમા ગુણસ્થાનકે આવે છે. આમ, તેઓ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે ઝૂલે છે. જ્યારે તેઓ શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યારે કાયાની ચેષ્ટા - હલન-ચલન, ગમનાગમન, ઊઠવું-બેસવું આદિ અટકી જાય છે. એ વખતે અડોલ કાષ્ઠપ્રતિમા જેવી નિશ્ચલ કાયસ્થિતિ હોય છે. વચનનું પ્રવર્તન સહજ રોકાઈ જાય છે અને તેઓ કેવળ આત્માનંદમાં લીન હોય છે. હું આ આનંદ ભોગવી રહ્યો છું', “મારા આત્માના સહજ આનંદને વેદું છું' એવા વિકલ્પ પણ તેમને હોતા નથી, કારણ કે તેઓ નિર્વિકલ્પ દશામાં સ્થિત હોય છે. ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા થતાં ચાલવાની વૃત્તિ ન ઊઠે, બોલવાની વૃત્તિ ન ઊઠે કે મનમાં બીજા વિચારો ન આવે એ શરીરની, વચનની તથા મનની ગુપ્તિ છે. જ્ઞાની પોતાના આત્મામાં જ ઉપયોગને સાવધાન કરીને સ્વદ્રવ્યમાં એકાગ્ર થાય છે ત્યારે તેમને ત્રિગુપ્તિ હોય છે, એટલે કે મન-વચન-કાયા સંબંધી પ્રવૃત્તિનો ઉપયોગ છૂટતાં ઉપયોગ સ્વરૂપમાં જ ગુપ્ત થઈ જાય છે. સ્વદ્રવ્યમાં ઉપયોગ એકાગ્ર થતાં, પરદ્રવ્ય (મન-વચન-કાયા)માં પ્રવૃત્તિ ન રહેતાં મન-વચન-કાયાનો સમ્યક્ પ્રકારે નિરોધ થાય છે અને સ્વરૂપમાં જ ઉપયોગ ગુપ્ત રહે છે. અજ્ઞાની જીવ પાપચિંતન ન કરવાને, મૌન ધારવાને તથા ગમનાદિ ન કરવાને ગુપ્તિ માને છે; પણ પ્રશસ્ત રાગ વડે વિવિધ પ્રકારના જે વિકલ્પો થાય છે તેના તરફ તેનું લક્ષ નથી હોતું. સ્વરૂપમાં લીનતા થતાં મન-વચન-કાયાની ચેષ્ટા થાય નહીં એ જ સાચી ગુપ્તિ છે. આવી સહજસમાધિદશા જ્ઞાનીને વારંવાર આવતી હોય છે. સમાધિદશા વખતની સ્થિરતા વિષે પંડિત શ્રી દૌલતરામજીએ છ ઢાળા'માં કહ્યું છે – સમ્યક્ પ્રકાર નિરોધ મન-વચ-કાય, આતમ ધ્યાવતે; તિન સુથિર મુદ્રા દેખિ મૃગગણ ઉપલ ખાજ ખુજાવતું.' અહીં જણાવ્યા પ્રમાણે મુનિ જ્યારે ગુપ્તિમાં હોય છે ત્યારે તેઓ એવા સ્થિર હોય છે કે ખંજવાળ આવતાં હરણ જેમ પથ્થર સાથે પોતાના શરીરને ખંજવાળે છે, તેમ મુનિની સ્થિર મુદ્રા જોઈને, તેમને પાષાણવત્ જાણીને, તેમના શરીર સાથે તે પોતાના શરીરને ઘસે છે. ૧- પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા', ઢાળ ૬, કડી ૪ સરખાવો : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૨૭ (પત્રાંક-૮૫૦) મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy