SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૫ ૫૬૫ ક્રિયાકાંડના આચરણ સાથે ધાર્મિકતાને સાંકળે છે. વ્યક્તિ કયા ધાર્મિક અનુષ્ઠાનો કરે છે, કેટલી માત્રામાં કરે છે અને કેવી રીતે કરે છે; તેના ઉપરથી તેઓ તેની ધાર્મિકતાનો આંક મૂકે છે. તેમની આવી ભ્રાંતિના કારણે, વર્ષોથી વ્રત-નિયમ, તપત્યાગ, શાસ્ત્રાભ્યાસ કરતા હોવા છતાં તેઓ ચિંતા, ભય, દ્વેષ, વિષાદથી વ્યાકુળ જ રહેતા હોય છે. સહિષ્ણુતા, શાંતિ, સમતા આદિ તેમનાં જીવનમાં પ્રવેશેલાં દેખાતાં નથી. દીર્ઘ કાળની ધર્મ-આરાધના કરવા છતાં તેમનાં જીવન ધર્મના મંગલ સ્પર્શથી અસ્પષ્ટ રહી જાય છે. તેઓ જપ, તપ, પૂજા, વાંચન, ભક્તિ, સત્સંગ બધું કરે છે, પણ આત્મજાગૃતિ જ રહી જાય છે. જેમ કોઈ માણસના સંબંધમાં એમ કહેવામાં આવે કે એના દેહમાં બીજું બધું તો તદ્દન બરાબર છે, માત્ર પ્રાણ જ નથી; તેમ બહિર્દષ્ટિ જીવોનો ધર્મ' પણ એવું શરીર છે, જેમાં જાગૃતિરૂપ પ્રાણ નથી હોતો. પોતાના અક્રિય સ્વરૂપમાં સ્થિર થવાના પ્રયત્ન કરવાને બદલે બહિર્દષ્ટિ જીવ ક્રિયામાં જ અટવાઈ જાય છે. ધર્મસાધન વડે સ્વ સાથે સંબંધિત થવાને બદલે તે બાહ્ય ક્રિયાઓમાં અટકી, બહારના જગત સાથે જોડાયેલો રહે છે. મુક્તિના પથ ઉપર ડગ ભરવા તે ક્રિયા આદરે છે, પણ પછી તેના આંધળા મમત્વમાં એ ક્રિયાનું મૂળ પ્રયોજન જ ભૂલી જાય છે. પોતાની આદરેલી ક્રિયાઓની ભીડમાંથી બહાર આવવું-ઊગરવું ખૂબ કઠિન છે. ક્રિયાઓથી સતત ઘેરાયેલો રહેવાના કારણે જીવ પોતાને જ ભૂલી જાય છે. તે ક્રિયાઓમાં એવો રચ્યોપચ્યો રહે છે કે તે પોતાનો જ પરિચય કરવાનું ચૂકી જાય છે. આવા પ્રકારની અજાગૃતિથી તેને પોતાના અસ્તિત્વનું ભાન થતું નથી. જીવ બાહ્યનું બધું જાણે પણ જો તે પોતાના અસ્તિત્વથી જ અપરિચિત રહે તો તેને કાંઈ લાભ થતો નથી. તે જાણવું હકીકતમાં જાણવું નથી. પોતાની અંદર જ અંધારું હોય તો આખા જગતને પ્રકાશિત કરનાર પ્રકાશની કોઈ કિંમત નથી. જેના કેન્દ્રમાં સ્વજ્ઞાન ન હોય એવા જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. શાસ્ત્રાભ્યાસ કે ગમે તેવી ધર્મક્રિયા જીવ કરી રહ્યો હોય, પણ જેના વડે સ્વનો પરિચય થતો ન હોય, તે ધર્મક્રિયા કદાપિ ધર્મ ન બની શકે. સ્વજ્ઞાનની દિશામાં જ ઊપડેલું પગલું એ ધર્મનું પગલું છે. તે જેટલા પ્રમાણમાં સ્વજ્ઞાનને ઉપલબ્ધ કરે છે, એટલા પ્રમાણમાં તેનો આત્મવિકાસ થાય છે. આત્મજ્ઞાન મેળવવું એ જ મનુષ્યજીવનની સાર્થકતા છે. શુભ પ્રવૃત્તિ કરીને આત્મજ્ઞાનની દિશામાં આગળ વધવું, આત્માની નિકટ આવવું એ જ ધર્મ છે. અહીં એ તથ્ય ધ્યાન બહાર ન રહેવું જોઈએ કે ધાર્મિકતા માટે તપ, ત્યાગ, સંયમ વગેરે જરૂરી છે જ, કારણ કે તેમાં સહાયક થાય છે; પણ જ્યાં બાહ્ય તપ, ત્યાગ, સંયમ હોય ત્યાં ધાર્મિકતા હંમેશાં હોય જ એવો નિયમ નથી. તપત્યાગયુક્ત કઠોર જીવન હંમેશાં આત્મોન્મુખ જ હોય એવું જરૂરી નથી. શુભ પ્રવૃત્તિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy