SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૦૬માં કહ્યું કે વિચારપૂર્વક પૂછાયેલા છ પદ વિષેના છ પ્રશ્નોના ઉત્તર સંપૂર્ણપણે સ્વીકારવામાં જ મોક્ષમાર્ગ છે, અર્થાત્ છએ પદને સંપૂર્ણપણે સમજી-વિચારીને જે સ્વીકારે છે તે જ સાચો મોક્ષમાર્ગ પામે છે. ભૂમિકા આમ, મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠાવાળા મુમુક્ષુને મોક્ષપ્રાપ્તિનો યથાર્થ ઉપાય બતાવી, હવે ગાથા ૯૪માં ‘કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ' એવી મોક્ષના ઉપાય સંબંધી જે છેલ્લી શંકા શિષ્યે કરી હતી, તેનું સમાધાન આપતાં શ્રીગુરુ કહે છે ગાથા ગાથા ૧૦૭ જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન Jain Education International કોય.' (૧૦૭) જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં અર્થ કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. (૧૦૭) For Private & Personal Use Only -- ભાવાર્થ જે રીતે આત્માની અશુદ્ધ અવસ્થા દૂર થાય અને શુદ્ધ અવસ્થા પ્રગટ થાય તે મોક્ષમાર્ગ છે. ત્રણે કાળમાં મોક્ષમાર્ગ એક જ પ્રકારે છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રનું એકત્વરૂપ પરિણમન એ જ મોક્ષમાર્ગ છે. શુદ્ધાત્માનું ભાન થવું તે સમ્યજ્ઞાન, તેની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન અને તેમાં રમણતા થવી તે સમ્યક્ચારિત્ર. આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની આરાધના જે જીવ કરશે તે અવશ્ય અવ્યાબાધ સુખસ્વરૂપ એવા મોક્ષને પામશે. જે જીવ સકલ મોહને હણી, પૂર્ણ વીતરાગદશા પ્રાપ્ત કરે છે તે મોક્ષને સાધે છે. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા એવા જ્ઞાનીપુરુષોએ પ્રતિપાદિત કરેલાં છ પદ ઉપર સર્વાંગતાએ વિચાર કરી, તેમાં નિઃશંક થઈ જે કોઈ ભવ્ય જીવ દર્શનમોહને હણે છે તથા શુદ્ધ આત્મસ્વરૂપમાં એકાગ્ર થઈ ચારિત્રમોહને હણે છે, તે જીવ ગમે તે જાતિનો હોય કે ગમે તે વેષમાં હોય, તે અવશ્ય મોક્ષને સાધે છે. ગાથા ૯૭ થી ૧૦૪ સુધીમાં મોક્ષનો જે માર્ગ કહ્યો છે, તેના આરાધનમાં સ્ત્રી-પુરુષ બ્રાહ્મણાદિ જાતિનો અથવા બાહ્ય વેષનો કોઈ ભેદ હોતો નથી, અર્થાત્ પુરુષજાતિ કે બ્રાહ્મણજાતિમાં અથવા અમુક પ્રકારના વેષથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો કોઈ નિયમ નથી. પરમાર્થમાર્ગમાં શરીરાશ્રિત જાતિ કે સાંપ્રદાયિક વેષને www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy