SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૬ ૧૯૩ અતીન્દ્રિય તત્ત્વ સુધી પહોંચી શકાય છે. આગમ, અનુમાન અને યોગાભ્યાસ એ ત્રણ વડે પોતાની બુદ્ધિને મેળવીને સાધક ઉત્તમ તત્ત્વ પામી શકે છે.' પ્રસ્તુત ગાથામાં શિષ્ય કહે છે કે પોતે કરેલા પ્રશ્નોના શ્રીગુરુએ આપેલા જવાબ દ્વારા આત્માના હોવાપણા વિષે, તેના ત્રિકાળ ટકવાપણા વિષે, તેના કર્મ કરવાપણા વિષે, તેના કર્મફળ ભોગવવાપણા વિષે તથા કર્મથી સર્વથા છૂટવાપણા વિષે યથાર્થ સમજણ મળી છે, જેનાથી તે પદો સંબંધી સર્વ પ્રકારના સંશયનું સંપૂર્ણપણે સમાધાન થયું છે અને પાંચ પદની શ્રદ્ધા દઢ થઈ છે. તે સંબંધી તેને કોઈ વિકલ્પ રહ્યો નથી. આત્મવિષયક અનેક શંકાઓનાં સમાધાન અર્થે તે નમતાથી શ્રીગુરુને પ્રશ્નો પૂછે છે. સદ્ગુરુ દ્વારા કરાતા સમાધાનનું ઉત્સાહથી અને રસપૂર્વક શ્રવણ કરી પોતાના ચંચળ મનને શાંત કરે છે અને ઉલ્લાસપૂર્વક સગુરુના ઉપદેશનું ગ્રહણ કરે છે. અવધારિત રહસ્યનું તે પુનઃ પુનઃ ચિંતન કરે છે. શ્રીગુરુના બોધની ઊંડી વિચારણાથી તેને પ્રશ્નાર્થચિહ્ન કે વિકલ્પ વગરની શ્રદ્ધા પ્રગટે છે. શ્રીગુરુએ આપેલ પાંચ પદનાં યથાર્થ સમાધાનનાં શ્રવણ-મનન દ્વારા શિષ્યની તે સંબંધી સર્વ શંકાઓ સમગ્રપણે ટળી ગઈ હોવાથી તે શંકા ફરીથી ઉદય પામતી નથી. જો શ્રવણ કરેલા વિષયની વિચારણા થાય નહીં, અર્થાત્ શ્રીગુરુના ઉત્તર ઉપર ચિંતન-મનન થાય નહીં તો પુનઃ પુનઃ એ જ પ્રશ્નો ઊડ્યા કરે. પરંતુ શિષ્ય વિચારવાનું હોવાથી પ્રાપ્ત થયેલ સમાધાન ઉપર ચિંતન કરીને એની પ્રતીતિ કરે છે અને પોતાનું હિત સાધે છે. મોક્ષપદની શ્રદ્ધા થતાં તેને મોક્ષપદની પ્રાપ્તિ માટે પરમ કલ્યાણના પંથે પ્રયાણ કરવાની ભાવના જાગે છે. મોક્ષનો ઉપાય સમજવો, તેનો ઉદ્યમ કરવો તે જ સુખનો ઉપાય છે એવી પ્રતીતિ થઈ હોવાથી, મોક્ષનો અચૂક ઉપાય જણાવવા માટે શિષ્ય શ્રીગુરુને વિનંતી કરે છે. મોક્ષમાં રુચિ થઈ હોવાથી તેને એના જ વિચાર આવે છે, મોક્ષનો મહિમા જાગ્યા પછી એનો જ રસ ઘોળાયા કરે છે, તેથી મોક્ષનો ઉપાય સમજવાનું જ લક્ષ રહ્યા કરે છે. દિવસ-રાત ઉપયોગ એમાં ને એમાં જ જોડાયેલો રહે છે. તેને મોક્ષના ઉપાયની પ્રાપ્તિ માટે અદમ્ય તાલાવેલી અને તીવ્ર ઝૂરણા પ્રગટી છે. તેને માટે મોક્ષના ઉપાયની ખોજ એક સમસ્યા જ નહીં પણ વેદના બની ગઈ છે. જિજ્ઞાસા જ્યારે સમગ્રપણે વ્યાકુળતામાં પલટાઈ જાય છે ત્યારે એ વ્યાકુળતા એક નવી જ યાત્રાનો પ્રારંભ કરાવે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૦૧ ‘ગાામેનાનુમાનેન યોગાભ્યાસરસેન ૨ | त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ।।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘શ્રીપાલરાજાનો રાસ’, ખંડ ૪, ઢાળ ૭, કડી ૧૩ આગમ ને અનુમાનથી, વલી ધ્યાન રસેં ગુણ ગેહ રે; કરે જે તત્વ ગવેષણા, તે પામે નહિં સંદેહ રે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy