SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૫ ૭૪૩ સજાતીય કર્મપ્રકૃતિમાં રૂપાંતર થવું. કર્મના એક ભેદનું સજાતીય એવા બીજા ભેદરૂપ થવાને સંક્રમણ કહે છે. ભાવશુદ્ધિના કારણે અશુભ કર્મોનું સંક્રમણ શુભ કર્મોમાં થઈ શકે છે. સંક્રમણના ચાર પ્રકાર છે - પ્રકૃતિ સંક્રમણ, સ્થિતિ સંક્રમણ, અનુભાગ સંક્રમણ, પ્રદેશ સંક્રમણ. સંક્રમણ કર્મની ઉત્તર પ્રકૃતિમાં થાય છે, મૂળ પ્રકૃતિમાં થતું નથી. સંક્રમણ સજાતીય પ્રવૃતિઓમાં થાય છે, વિજાતીય પ્રવૃતિઓમાં થતું નથી. સજાતીય પ્રકૃતિઓનાં સંક્રમણમાં પણ કેટલાક અપવાદ છે. જેમ કે આયુષ્ય કર્મનું નરકા, ઇત્યાદિ ચાર આયુષ્યમાં પરસ્પર સંક્રમણ થતું નથી. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનું પણ પરસ્પર સંક્રમણ થતું નથી. (૬) ઉત્કર્ષણ અથવા ઉદ્વર્તન – ઉત્કર્ષણ એટલે આત્માના પ્રયત્નવિશેષથી કર્મની સ્થિતિ અને રસમાં વધારો થવો. આત્મામાં બંધાયેલાં કર્મની સ્થિતિ અને અનુભાગ, બંધ સમયે થયેલ કષાયની માત્રાને અનુસરીને નક્કી થાય છે; પણ તેની આ સ્થિતિ અને અનુભાગને નવીન કર્મનો બંધ થતો હોય તે સમયે વધારી દેવાં તે ઉદ્વર્તન છે. (૭) અપકર્ષણ અથવા અપવર્તન – અપકર્ષણ એટલે આત્માના પ્રયત્નવિશેષથી કર્મની સ્થિતિ અને રસમાં ઘટાડો થવો. પ્રથમ બંધાયેલાં કર્મની સ્થિતિ અને અનુભાગને નવીન કર્મના બંધ વખતે ન્યૂન કરવાં તે અપવર્તન છે. (૮) ઉપશમન – ઉપશમન એટલે ઉદિત કર્મને શાંત કરવાં. કર્મની એ અવસ્થા કે જેમાં તેનો ઉદય કે ઉદીરણા થઈ શકે નહીં; પણ અપવર્તન, ઉદ્વર્તન અને સંક્રમણ થઈ શકે તે ઉપશમન. સાર એ છે કે કર્મને ઢંકાયેલા અગ્નિની જેવું બનાવી દેવું કે જેથી તે ફળ આપી શકે નહીં. પરંતુ જેમ અગ્નિ ઉપરથી આવરણ હટી જાય તો પુનઃ તે બાળવા સમર્થ છે, તેમ કર્મની આ અવસ્થા સમાપ્ત થાય એટલે પાછું તે ઉદયમાં આવીને ફળ આપે છે. (૯) નિધત્ત – નિધત્ત એટલે ઉદીરણા અને સંક્રમણની સંભાવનાનો અભાવ. કર્મની આ અવસ્થામાં તે ઉદીરણા અને સંક્રમણને અયોગ્ય હોય છે. જો કે તેમાં ઉદ્વર્તન અને અપવર્તન થઈ શકે છે. (૧૦) નિકાચના – નિકાચના એટલે ઉદીરણા, સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તનની સંભાવનાનો બિલકુલ અભાવ. કર્મની આ અવસ્થામાં ઉદીરણા, સંક્રમણ, ઉદ્વર્તન અને અપવર્તનનો સંભવ જ નથી હોતો, અર્થાત્ આવાં કર્મને જે રૂપે બાંધ્યું હોય તે જ રૂપે ભોગવવું પડે છે. ઘણા નિબિડ અને સંક્લિષ્ટ ભાવથી બંધાયેલાં કર્મ નિકાચિત હોય છે. નિકાચિત કર્મ એવાં ચીકણાં હોય છે કે તેમાં કોઈ પરિવર્તનનો સંભવ નથી. જે પ્રમાણે બાંધ્યાં હોય તે પ્રમાણે જ ભોગવવાં પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy