SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૮ ૬૮૧ તે મોક્ષપંથને દૃઢતાપૂર્વક વળગી રહે છે. તે અંતરની ઊંડી શ્રદ્ધા, નિષ્ઠા અને ધૈર્ય સહિત સતત અભ્યાસ કરે છે. જેમ પાણી પાસે અગ્નિનું જોર ચાલતું નથી, તેમ તેની પાસે ગમે તેવા પ્રબળ વિદનનું જોર ચાલતું નથી. તે વિન્નોથી અટકતો નથી, પણ ઊલટો બમણા ઉત્સાહથી વિઘ્નોનો સામનો કરી વિનય કરીને આગળ ધપે છે. આત્માર્થીનો ઉત્સાહ કેવો હોય તે બતાવતાં શ્રીમદ્ લખે છે – ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી." આમ, અંતરથી મોક્ષની સાચી ઇચ્છા થવી એ પણ મોટી વાત છે. અંતરની સાચી ઇચ્છા એ સન્માર્ગપ્રવેશનું પ્રથમ વાર છે. એ અંતરંગ ઇચ્છા વિના કોઈનો પણ પરમાર્થમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. આવી અંતરંગ ઇચ્છા વિના જે માત્ર બાહ્યથી ધર્મપ્રવૃત્તિ કરતો હોય તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. જેને મુક્તિની સાચી અભિલાષા પ્રગટી છે, તે જ જીવ યથાર્થ સાધન આરાધી મુક્તિને વરે છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે મુક્તિની ઇચ્છા જેટલા અંશે થાય તેટલા અંશે તે ઇચ્છા પણ વખાણવા યોગ્ય છે, કારણ કે જે ઇચ્છા અજ્ઞાનરૂપ અંધકારને કાલાંતરે નાશ કરનારી છે, તે ઇચ્છા કલ્યાણકારી છે. ૨ આમ, જેણે મોક્ષમાં જ પરમ સુખ દીઠું છે, તે પ્રાપ્ત કરવાની જ જેને અભિલાષા વર્તે છે, તે માટેના પ્રયત્નમાં જેને અદમ્ય ઉલ્લાસ રહે છે અને તેનાથી વિપરીત એવા સંસારનાં કાર્યોમાં જેને રુચિ રહી નથી; તે જીવ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિના ક્રમે અવશ્ય મોક્ષસુખને પામે છે. મોક્ષની ઇચ્છાની સાથે જ બીજી પણ સાંસારિક કામનાઓ હૃદયમાં ઉલ્લસતી હોય, એટલે કે મોક્ષની ઇચ્છા કદાચ હોય પણ ખરી, પરંતુ ગૌણ ભાવે, ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી લોકસંજ્ઞા-ઓઘસંજ્ઞા ભાવે હોય, પણ મુખ્ય ભાવે ન હોય તો તે જીવ ખરેખરા અર્થમાં મુમુક્ષુ નથી. જેને આત્મપ્રાપ્તિ કરવી છે તેણે ભૌતિક સુખોની તથા સાંસારિક પદાર્થોને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૨ (પત્રાંક-૧૨૮) ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૨૧૬ 'मुक्ताविच्छापि यच्छूलाध्या, तमःक्षयकरी मता । તસ્યા: समन्तभद्रत्वा-दनिदर्शनमित्यदः ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy