SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તથા ઓછો દંડ આપીને હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવાને અનિષ્ટ જ માને છે; તેમ સમ્યગ્દષ્ટિ પાપરૂપ તીવ્ર કષાય થતો હોય ત્યારે પુણ્યરૂપ મંદ કષાય કરવાનો ઉપાય કરે છે તથા મંદ કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને હેય જ માને છે. સમ્યગ્દષ્ટિ જીવને સંપૂર્ણ વીતરાગતા પ્રગટી ન હોવાથી તેમનો પુરુષાર્થ અશુભ ભાવ ટાળી શુભ ભાવ તરફ વળે છે, પરંતુ તેમના અંતરમાં ભાવ તો એવો જ હોય છે કે નિરંતર શુદ્ધોપયોગમાં રહી શકતો નથી, તેથી શુભ ભાવ કરું છું, પણ મારે તો આને પણ છોડીને આગળ વધવાનું છે.' તેમને નિરંતર લક્ષની જાગૃતિ રહેતી હોવાથી શુભ ભાવને તેઓ ક્યારે પણ સાચો ધર્મ નથી માનતા, વીતરાગભાવને જ સાચો ધર્મ માને છે. આમ, અન્ય જીવને પીડા, હિંસાદિ દ્વારા દુ:ખી કરવાના અપ્રશસ્ત પરિણામથી જેમ પાપનો બંધ થાય છે; તેમ અન્ય જીવને રક્ષા, અહિંસાદિ દ્વારા સુખી કરવાના પ્રશસ્ત પરિણામથી પુણ્યનો બંધ થાય છે; તેથી તે બન્ને હેય છે. જ્યાં જીવ વીતરાગ થઈ જ્ઞાતા-દ્રષ્ટારૂપે પ્રવર્તે છે ત્યાં નિબંધતા છે અને તે જ દશા ઉપાદેય છે. પરંતુ એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ સદ્વ્યવહારમાં પ્રવર્તવા યોગ્ય છે. જો કે ત્યાં શ્રદ્ધાન તો એવું જ રાખવું યોગ્ય છે કે આ પણ બંધનું કારણ છે, તેથી હેય છે. જો શ્રદ્ધાનમાં તે હેય ન હોય તો આસવતત્ત્વની વિપરીત શ્રદ્ધાના કારણે તે જીવ મિથ્યાદષ્ટિ ઠરે છે. જો કે એટલું અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે કે અશુભ ભાવ કરતાં શુભ ભાવ ઓછા દોષવાળો છે, તેથી પાપની અપેક્ષાએ તેનો નિષેધ નથી; પણ તે વડે સંસારનું દુઃખચક્ર ટળતું નથી, તેથી પૂર્ણ પવિત્રતાની અપેક્ષાએ તેનો નિષેધ છે. શુભ ભાવ છોડી અશુભ ભાવ કરવો એવો જ્ઞાનીઓનો ઉપદેશ હોઈ શકે નહીં. શુષ્કજ્ઞાની મતાથી જીવ માત્ર શાસ્ત્રોના શબ્દનું ગ્રહણ કરે છે, પણ તેનું હાર્દ પામી શકતો નથી, તેથી તે સદ્વ્યવહારને છોડી, સાધનરહિત થઈ ભમમાં ભટકે છે. તે સવ્યવહારને ઉત્થાપી સ્વચ્છંદે પાપપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. શાસ્ત્રનો પરમાર્થ સમજ્યા વિના શુદ્ધ વ્યવહારક્રિયાના ઉત્થાપકોનો મતિકલ્પનાદોષ બતાવતાં એક પત્રમાં શ્રીમદ્ વ્યવહારના બે સ્પષ્ટ ભાગ પાડી સમજાવે છે કે વ્યવહાર બે પ્રકારના છે - પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને વ્યવહારરૂપ વ્યવહાર. પરમાર્થ પ્રત્યે લઈ જતો એવો જે વ્યવહાર તેને શાસ્ત્રોએ નિષેધ્યો નથી, પરંતુ વ્યવહાર અર્થે કરાતાં વ્યવહારનો, અર્થાત્ પરમાર્થહેતુ વગરના વ્યવહારનો નિષેધ કર્યો છે. શ્રીમદ્ લખે છે – ‘જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy