SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૮] મર્યાદાઓમાં પ્રવર્તતા હોવાથી ધર્મગુરુઓને પ્રભાવઃ અને ધર્મપ્રણેતાઓ તરફને પૂજ્યભાવઃ જાગતો હેવાથી જેમ બને તેમ અહિંસાને વેગ મળતો આવે છે, અને હિંસા ઉપર નિયંત્રણ રહેતું આવ્યું છે. ૯ આ રીતે જૈનશાસન એ વિશ્વવ્યાપક મહાશાસનરૂપે સર્વત્ર પ્રગટ રીતે કે ગુપ્ત રીતઃ પિતાને વિજ્ય કે બજાવતું આવે છે. આવી ઘણું ઘણું દષ્ટિએથી તેને એકને-મહાશાસનને સર્વ સદ્ શાસનના મૂળ કેન્દ્રરૂપ કહેવામાં આવે છે. ૧૦ ભારતની બહાર પણ ધર્મપ્રધાન પુરૂની સંસ્કૃતિની મર્યાદાઓનું પાલન એમ્બેવધતે અંશે થતું હોવાથી અહિંસાને જ વિજય ચાલુ રહેતે આવ્યા છે. ને એ કારણે તેમાં ભારતની જ પ્રજાનું નેતૃત્વ મનાતું આવ્યું છે. અને ભારતની પ્રજામાં નાની સંખ્યામાં છતાં કેન્દ્રભૂત જૈનશાસનના અનુયાયિઓની મુખ્ય અસર અને મહાજનના અગ્રેસર તરીકે તેઓને જાહેર જીવન ઉપર કાબુ રહેતો આવ્યો છે. એ રીતે પણ જૈનશાસન સર્વોપરિ રીતે માર્ગદર્શક તરીકે પાપ-હિંસા ઉપર શાસન અને નિયંત્રણ કરતું આવ્યું છે. માત્ર ધમધ વૃત્તિમાંથી કે પક્ષપાત વૃત્તિથીઃ જૈનશાસનના વિશ્વવ્યાપકપણાની આ અસર વણવવામાં નથી આવતી. વરસ્તુસ્થિતિ જ આ જાતની જગતમાં ચાલી આવે છે. મુસલમાન રાજ્યકાળમાં પણ ધીમે ધીમે તેઓના માનસ ઉપર પણ જૈનશાસનની અહિંસક ભાવનાએ સવારી કરી લેવાના ઘણાં ઘણું દાખલાઓ અને પુરાવા મળે છે. જેમાંના ઘણાખરાં જગજાહેર છે, જેથી આજે પણ પરંપરાગત ઘણા 'તો અખંડ રીતે ટકી રહ્યા છે. ૧૧ પરંતુ ઈ.સ. ૧૪૯૨ પછી આજની નવી પ્રગતિને પાયો નંખાયો ત્યારથી બદલાયેલી પરિસ્થિતિએ ધીમે ધીમે કેન્દ્રમાં પણ માઠી અસર ફેલાવી. જગતમાં હિંસાઃ ભયંકર હિંસાઃ શરૂ થઈ, અને તેને જુવાળ વધતો વધતો ભારત દેશમાં આર્ય પ્રજામાં અને છેવટે જૈન જેવા કેન્દ્રસ્થ જીવનના કિલ્લામાં યે પ્રવેશતો જાય છે. અર્થાત જેને આધુનિક નવસર્જનઃ ક્રાન્તિઃ યુગપલટ કહેવામાં આવે છે, તેની જ્યાં જ્યાં જેટલી જેટલી અસર પહોંચી છે, ત્યાં ત્યાં તેટલી ગુપ્ત કે પ્રગટ રીતે હિંસા પહોંચી છે. ને વધુ હિંસા ફેલાવવાની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે. જેમાં ભવિષ્યમાં પ્રજાઓની પ્રજાઓના ઉછેદેની માહિંસા ગોઠવાયેલી છે--માનવી મહાહિંસા ગોઠવાયેલી છે. ૧૨ તેમાં પણ હજારે લાખોઃ કેટલાક અનાર્ય માનવની હિંસા કરતા એક પણ સંસ્કારી આર્ય માનવની કૃત્રિમ હિંસા વધી જાય તેમ હોય છે. એ રીતે ભારતીય શ્રેષ્ઠ આય માનવની હિંસા બીજાની હિંસા કરતાં વધી જાય તેમ હોય છે. જૈન શાસ્ત્રમાં નીચેના ભાવાર્થને લગભગ ઉલેખ આવે છે, કે હજાર મિયાદષ્ટિ કરતાં એક સમ્યગદષ્ટિ શ્રેષ્ઠ છે. હજાર સમ્યગદષ્ટિ કરતાં એક દેશવિરતિધર શ્રેષ્ઠ છે. હજાર દેશવિરતિધર કરતાં એક સર્વવિરતિધર, હાર સર્વવિરતિધર કરતાં એક આચાર્ય, હજાર આચાર્યો કરતાં એક ગણધર મહારાજા અને હજાર ગણધર મહારાજાઓ કરતાં એક તીર્થકરપ્રભુ શ્રેષ્ઠ હોય છે.' આ જ વસ્તુને બીજી રીતે વિચારીયે તે નીચી કક્ષાની ઘણી વ્યક્તિઓ કરતાં ઉચ્ચ કક્ષાની એક વ્યકિતની હિંસા વધી જતી હોય છે. સામાન્ય બુદ્ધિથી પણ સમજાય તેવી વાત છે, કે–ઘણું સ્વયંસેવા કરતાં એક નેતાની હિંસા મોટી ગણાય છે અને છે પણ તેમ. જો કે ગોરી પ્રજાની દૃષ્ટિમાં ભારતીય આર્ય માનવની કૃત્રિમ હિંસાઃ અને તે સિવાયના માનવની હિંસામાં ભેદ ગણતા નથી. પરંતુ એક ગૌરાંગ માનવની હિંસા સવથી વધારે ગણાતી હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy