SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૫ ] સિદ્ધ [ સદા પ્રામાણિક ] છે, સંયમમય જીવનમાર્ગમાં સદા મંગળમય [ સહાયક ] છે દેવ નાગદેવે સુવર્ણ અને કિન્નર [ વગેરે ] ને સમૂહ વડે સાચા ભાવથી પૂજાયેલ [ માન્ય કરાયેલ છે] છે. જિન-મત | જૈનશાસન-જૈન શાસ્ત્ર] ને અહે! કલ્યાણકામી ભવ્ય ] લકે! પ્રયત્ન [ મન, વચન, કાયાના પ્રણિધાન સાથેના વિધિ ] પૂર્વક પ્રણામ [ વિનમ્ર ભક્તિભાવ રાખી તેને આલંબન તરીકે સ્વીકાર ] કરે. [ સમ્યગદર્શન-પ્રાપ્ત આત્માને સમ્યપણે પરિણામ પામતે ] શાશ્વત્ C એ શ્રુત ] ધર્મ | સર્વથી અપરાભૂત રહી–અપ્રતિહત રહી ] વૃદ્ધિ પામે. [ સર્વથી અપભૂત રહી-અપ્રતિહત રહી ] ઉત્તર– પછીના દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રરૂપ ] ધર્મની વૃદ્ધિ કરે. ૪. ભાવાર્થ-ઉત્તરોત્તર મેક્ષના પ્રધાન કારણભૂત એવા ધર્મ–પ્રધાન ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિમય માર્ગનુસારિ જીવનધોરણ સભ્ય દર્શનાચારઃ માર્ગદર્શક દ્વાદશાંગી મૃત-શાસ્ત્રઃ દેશ-વિરતિ ધર્મ અને સર્વ—વિરતિ-ધર્મ સદા વિર્ય પામે, જેથી વિશ્વનું કલ્યાણ થાય. તે સર્વ પ્રકારના જ્ઞાનઃ અને બેધને અપૂર્વ ખજાનો છે. તે સદા સ્વયંસિદ્ધપણે પ્રામાણિક છે. દેએ પણ પ્રામાણિક તરીકે સ્વીકાર કર્યો છે. માટે તેને સર્વોત્કૃષ્ટ પૂજ્ય માની તેની આજ્ઞાને અનુસરો તે તમારા ઉત્તમ સંયમી જીવનમાં મંગળમય બની અસાધારણ સહાય કરશે. [૨] સાચા ઉપયોગના માર્ગો ૧ આવું પરમાર્થરૂપ મહાશાસ્ત્ર: સર્વશાસ્ત્ર શિરોમણિ શાસ્ત્ર: વિશ્વવાસલ તીર્થકરોના વિશ્વવત્સલ સન્માર્ગને ટકાવવાને તેને પ્રવાહ ચાલુ રાખવાને ને તે ઉદ્દેશની સફળતા માટે મનઃ વચનઃ કાયા. અને સર્વસ્વને ભોગ આપી, ત્યાગીઃ અને સંયમી બની તેના અનન્ય પ્રચારક એવા મહાપુરુષો તૈયાર થાય તે રીતે, સુપાત્રોને આકર્ષીને સ્થિર કરી, જગતમાં ચમકાવી, જનતાને સન્માગમાં સ્થિર રાખવા માટેનું સામર્થ્ય ધરાવતા મહાત્માઓના અસ્તિત્વને પ્રવાહ સતત ચાલુ રાખવા માટે છે. તેને માટે જ તેનું અસ્તિત્વ છે. સર્જન છે, તે માટે તે રક્ષણ કરવા યોગ્ય છે. તે જ તેને ઉપયોગ છે. ૨ માટે જ જેને તેને શાસ્ત્ર આપવાનું નથી. જેમ કાચા ઘડામાં પાણી નાંખવાથી ઘડે કૂટે છે, અને પાણી પણ ગુમાવાય છે. તેમ આવી ઉત્તમ વસ્તુનું બીજાને પાત્રા-પાત્રની કસોટીમાંથી ઉત્તીર્ણ ન હોય તેને આપવામાં સ્પષ્ટ રીતે જ અનર્થ છે. વિશ્વના હિતને હાનિ પહોંચે. બાળકના હાથમાં અપાયેલ તીર્ણ શસ્ત્ર તેને અને બીજાને પણ હાનિ કર્યા વિના ન રહે. પ્રૌઢ ભાષામાં રચાયેલ ગહન વિષયના www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy