SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૧ ] સર્વથા તેએ અજ્ઞાત જ હોય છે. તેથી “ મૂળમાં કયાં આગ ચપાય છે ?” તેને તેા તેઓને લેશમાત્ર ખ્યાલ રહી શકતા જ નથી. ધંધાના લાભના સબધ બાજુએ રાખનારા સેવાભાવી ધાર્મિક વૃત્તિના વકીલમારીસ્ટરોની પણ મનેાદશા લગભગ આ જાતની હોય છે. તેથી તેઓના ધાર્મિકપણાથી પણ ઘણી વખત ભ્રમણા તરફ દારવાઇ જવાય છે. શેડ આ. ક. અને જૈન એસે।શીએશન એફ ઇંડિયાઃ જેવી જુના વખતમાં સ્થપાયેલી સંસ્થાએ પણ એ દુષિત તત્ત્વાથી સારી રીતે વાસિત છે. માટે જ આજના વાતાવરણમાં તેની મહત્તા ટકી છે. અને રાજ્યતંત્ર દરેક બાબતમાં તેને ઇરાદાપૂર્વક આગળ રાખવાની તક લે છે. જો કે--તેમાં એ તત્ત્વા બહુ જ એચ્છા રૂપમાં શરૂઆતમાં હતાં, પાછળથી ક્રમે ક્રમે વધતા ગયાં છે. છતાં ખીજી સંસ્થાઓ કરતાં ઘણાં આચ્છાં છેઃ વિદેશીયેાએ એ રીતે પ્રાથમિક શરુઆત કરાવી છે. નહીંતર, શ્રી સકળ સધની સમ્મતિથી ખાસ ખાસ ગૃહસ્થા જ તીર્થાં વગેરેના વહીવટા પૂના વખતમાં કરતા હતા. તેને બદલે પેઢીએ! સ્થપાવીને, ટ્રસ્ટીઓ ઉભા કરાવીને, શરૂઆતમાં આધુનિકતાનું રૂપ આપવાની એ રીતે વિદેશીયેાએ આડકતરી રીતે શરૂઆત કરાવેલી છે. અને નવી છતાં પ્રથમ નીકળવાથી જુની થયેલી સંસ્થાઓને વધારે મજબૂત રાખે છે. જેથી કરીને ધમ ગુરુએ તથા પરપરાના ગૃહસ્થ આગેવાન વગેરેને દૂર રાખી શકાય છે. આવી સંસ્થાએ અને સરકાર જ પરસ્પર સંબંધમાં રહી શકે, ને શ્રી સંધને અંધારામાં રાખી “ કુલડીમાં ગાળ ભાંગી—–ભગાવી ” શકાય છે. એટલે “ મૂળને ધક્કો લાગતા નથી. ” એ માત્ર વાહિયાત વાતેા છે. અણુસમજથી ભરેલી છે. આ વાસ્તવિક રહસ્ય છે. r એવી સંસ્થાઓ મારફત ધાર્મિક સ્થાનેાના વિવાદે ઉભા કરાવીને તેના સમાધાને અને ફેસલાએમાં સરકાર ત્રીજી પાર્ટી તરીકે—તેમાં માલિક તરીકે અને સત્તાધીશ તરીકે-ધ્રુસી શકે, તેવી ગાઠવણુ કરી લીધી હૈાય છે. કેમકે બન્દેય પક્ષે પાતપેાતાના હેતુએ સફળ કરવા માટે અરજીએ જ એવી કરે અને વકીલ, મેરીસ્ટરા અરજી જ એવી ઘડે, કે જેથી ઇચ્છાપૂર્વક બન્નેય પક્ષાએ ત્રીજી પાર્ટીના ધસ્થાના ઉપર પણ અધિકાર કથુલ રાખેલા હોય. તટસ્થ પાઁચ તરીકે સમાધાને, કરારો કે ફે’સલા અપાયેલા નથી હાતા. એ વસ્તુ સૂક્ષ્મતાથી અભ્યાસ કરનારને બરાબર જણાઇ આવે તેમ છે જ. તે વખતના આપણા આગેવાને એટલુ સૂક્ષ્મ વિચારી શકયા નથી. કેમકે-વિદેશીયાની ૧૦૦ વર્ષો ખાદ ખુલતી કરવાની ગૂઢ યુક્તિઓની કલ્પના પણ કેમ કરી શકાય ? એટલા જ માટે એ આગેવાને ને શ્રી સધમાં પ્રતિષ્ઠિત બનાવી રાખવામાં આવતા હતા. કેમકે-સરકાર તેમની મારફત કામ લેતી હતી. અને “ તેઓ સરકારની સામે હિતેા માટે બરાબર લડે છે. એવા દેખાવ પણ થવા દેવાતા હતા જેથી શ્રી સંધ તેઓ ઉપર અટલ વિશ્વાસુ બનતા હતા. પછી સરકારી તંત્ર અધકચરા નિયા એવા આપે, કે ન પૂરતા સ ંતાપ લઇ શકાય, ન પૂરતેા અસાષ જાહેર કરી શકાય, અને ભવિષ્યમાં વધારે લડત ચલાવી સંતાષકારક નિÖય લેવાની આશામાં ‘‘ મેરી ખી ચૂપ અને તેરી ખી ચૂપ ” નભાવી લેવાતી આવતી હોય છે. "5 વળી, નવા નવા પ્રસ ંગેા ઉભા કરીને લડત ઉપડે ને મૂળથી જ બધે! પૂરેા સંતાપ લેવાની હીલચાલ ઉપાડાય, પરંતુ પિરણામે સરકાર પાતાના હેતુએમાં એક ડગલું આગળ વધી ગઇ હોય તે રીતે સમાધાન થાય. આમ વખતે। વખત ઉપડતી હિલચાલે! સરકારને આશીર્વાદરૂપ બનતી ગઈ હોય છે. અને હવે તે એ સ્થિતિ ઘણી જ આગળ વધી રહી છે. મુખ્ય, આગેવાને ભૂતકાળમાં મળેલા થાડા બાહ્ય લાભાથી * એટલા જ માટે ભવિષ્યમાં સત્તાની ધારણા પ્રમાણેની શરતે કચ્યુલ કરાવી શકાય, માટે ભૂતકાળની સરકારે એવી સ’સ્થાએ સ્થપાવીને તેને લેકપ્રિય અને વિશ્વાસપાત્ર બનાવી છે, કે તેની સાથે એકાંતમાં ખાનગી વાત કરીને દસ્તાવેજો ઉપર સહી કરાવી શકાય અને શ્રી સંધમાં બધું જાહેર કરવાની જરૂર ન પડે, તે શ્રીસ'ધ વિશ્વાસમાં રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy