SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૪ ] દેવું ) (૧૪) પેશુન્ય (ચાડી ખાવી ) (૧૫) રતિ-અતિ ( ખુશી-નાખુશી ) (૧૬) પરપરવાદ ( પારકી નિંદા ) (૧૭) માયા મૃષાવાદ ( કપટ સાથે જુઠ્ઠાણું) (૧૮) મિથ્યાત્વશલ્ય (મહા ગાઢ અજ્ઞાનઃ સંસાર પર ખુબ મમતાઃ નાસ્તિકતાઃ વ્યામેાહઃ પાપપ્રિયતા વગેરે. ) આ અઢાર પાપસ્થાનક જેમ જેમ છુટતા જાય તેમ તેમ રત્નત્રયીની આરાધના વધતી જાય, અને તે વધુ ને વધુ પ્રકાશમાં આવતા જાય. ૧૫. વ્યવહારમાં-જૈનધ: એ નામ જૈનશાસનનું છે. અને એથી તેના ઉદ્દેશના સબધથી જિનેાદિષ્ટ શાશ્વત્ ધર્માંનું નામ પણ જૈનધર્મી ઘટી શકે છે. અપેક્ષા વિશેષે બન્ને ય નામ ગૌણુ મુખ્યતાએ વપરાય છે. ખીજા ધર્માંના નામેા પણ તે તે શાસન-વ્યવસ્થાની અપેક્ષાએ હોય છે. અન્ય વૈશ્વિક શબ્દના અર્થ પણ અન્ય ધર્મશાસના એવા થાય છે. તેથી તેણે પસંદ કરેલી તત્ત્વ વ્યવસ્થા, આધ્યાત્મિકવિકાસ: અને આચાર વ્યવસ્થાઃ પણ તે તે ધર્મને નામે એળખાવાય છે. ૧૬. અઢાર પાપસ્થાનકમાંની હિંસા અને તેની વિરેાધિ અહિંસાને વિસ્તૃત વિચાર આગળ કરીશું. ૩ ધર્માંતવાના અભ્યાસ [ ૧] પ્રાચીન ધર્મના અભ્યાસની દૃષ્ટિ: આજે પ્રાચીન ધર્મીના અભ્યાસ ચારેક દૃષ્ટિથી કરવામાં આવતા હોવાના દાખલા મળે છે. ૧ કેટલાક પેાતાના આત્માની ઉન્નતિ માટે અનુકૂળ મા` શેાધવા ખાતર, જુદા જુદા ધર્મોના અભ્યાસ કરતા હોય છે. તે આત્મકલ્યાણુમાં તેને ઉપયોગ કરવાના હોય છે. જે કાઇ પણ એક ધને માનેઃ પાળેઃ આદરે: તે અંશથી પણ સ ધર્મોતે માનતાઃ પાળતા અને આદરતા હોય છે. આ મનેવૈજ્ઞાનિક સત્ય છે. ૨ કેટલાક દરેક ધર્મોના માત્ર મંતવ્યા જાણવાની બુદ્ધિથી ધર્મોના અભ્યાસ કરતા હોય છે. ૩ કેટલાક પોતે માનેલા સંપ્રદાય અથવા પરરંપરાગત ધર્મનું આવશ્યક ઊંડું જ્ઞાન મેળવવાની દૃષ્ટિથી બીજા ધર્માંતે પણ અભ્યાસ કરતા હેાય છે. ૪ કેટલાક અભ્યાસકે–જેમની સખ્યા આજે ઠીક ઠીક પ્રમાણમાં સરકારી તંત્રની શાળાઓ તેમજ કાલેજોમાં વધતી જાય છે. તે તુલનાત્મકદષ્ટિથી સર્વ ધર્મોના અભ્યાસ કરવાના આદશ નીચે તે તે ધમ માંથી સ્વમતિ કલ્પના અનુસાર દાષા શોધી કાઢી તે તે ધર્મના અનુ અનુયાયીઓને તે તે ધમ તરફ શકિત બનાવીને ધમમાથી દ્યૂત કરવા માટે ય ( સ ધર્મના ) અભ્યાસ કરતા હાય છે. ક્રમ કે તેઓને તે રીતે આજે અભ્યાસ કરાવાતા યહેાય છે. “ સર્વ ધર્મને માનવાનું કહેનાર ખરી રીતે એકે ય ધર્મને માનનાર નહીં ” એટલે કે- ધર્માંતે જધમ જેવી વસ્તુને જ માનનાર નથી હોતા. આ વાસ્તવિક પરિસ્થિતિ હોય છે. [ ૨ ] આજના ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની અનિષ્ટતા આજે એક તરફથી ભૌતિકવાદી વ્યાવહારિક શિક્ષણ ખૂબ વ્યાપકરૂપે અપાય છે. તેથી જાહેર જીવનમાં ધર્માંની પ્રધાનતા ઘટતી જવાની સાથેાસાથ દુન્યવી અને ભૌતિક જીવનની પ્રધાનતા મુખ્યતયા વધતી જ જાય છે. તેથી ધાર્મિક જ્ઞાન પણ હવે ભૌતિક સ્વાંગ ધરતું જાય છે. ધાર્મિČક પાડશાએને એક સ્વતંત્ર સંસ્થાએ માનીને તે દ્વારા વિદ્યાર્થીઓના પ્રવાસઃ સંવાદઃ અને ખીજી પ્રવૃત્તિએ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy