SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૪ ] માટે અને ન્યાયઃ નીતિઃ સદાચાર અને શાંત-ચિંતન મનનશીલ સભ્ય; પરોપકારી અને ઉત્તમ ગુણયુક્ત જીવન બનાવી ટકાવી રાખવા માટે અહિંસક મહાસંસ્કૃતિની રચનાની થાય ભેટ કરી છે, તેની સામે જ પ્રગતિની નવી રચના થઈ રહી છે. તે મૂળ પુરૂષની રચનાને જ ઉથલાવી પાડવાના વ્યાપક પ્રયાસ ચાલી રહ્યા છે. તેવી અહિંસક સંસ્કૃતિને ઊથલાવી નાંખનાર હોવાથી તે પ્રગતિ મોટામાં મોટી હિંસા છે. “તેના મૂળમાં પાયામાં જ હિંસા ધરબાયેલી પડી છે.” એમ હેજે સમજાય તેમ છે. આજના નવસર્જનઃ કાંતિઃ પરિવતનઃ યુગપલટો એ મહાપુરૂષની રચના સામેને જ મોરચે છે. તેમાં જ ક્રાંતિ–તેને ઉથલાવી પાડવાની ધમાલ છે. આવું જગતમાં કદી બન્યું નથી. તે આજે ૪૫૦ વર્ષથી બની રહ્યું છે. માટે “જગતમાં પ્રગતિ શબ્દના પડદા નીચે મહાહિંસા શરૂ થઈ છે.'' એમ માન્યા શિવાય બીજો ઉપાય જ નથી. મહાજન સંસ્થાને અહિંસાના ક્ષેત્રમાં સચોટ અંકુશ હતો તેને જ ઢીલો કરાવવા જીવદયાને નામે કામ કરનારી આધુનિક ઢબની જુદી જુદી અનેક સંસ્થાઓ ઉભી કરાવવામાં આવી છે. વાસ્તવિક રીતે તે દ્વારા હિંસાને ઉત્તેજન અપાવાયું છે. માં સંસ્કૃતિની છાયામાંથી જુનવાણીમાંથી માનવોનો ઉદ્ધાર કરવાને બહાને બહાર કાઢવા તે બીજી મહાહિંસા, હું પ્રગતિની પાછળ રેતીના રણમાં માત્ર પોતાના જ ભલા માટે લેકેને ખૂબ ખૂબ દેડાવીને, પછી પાછળ પાડી દઈ, રખડતા રાખવાની મને વૃત્તિ અને પિતે આગળ વધી જઈ પોતાની ભૌતિક ઉન્નત્તિ કરી લેવી. એ મને દશાઃ અને તેનો અમલ એ ત્રીજી મહાહિંસા, હું એ જ માટે પ્રજાઓના પરંપરાગત સાંસ્કૃતિક જીવન બંધારણોને રદ કરાવી આધુનિક નવા બંધારણોના આધાર ઉપર પ્રાગતિક સ્વરા ” આપવામાં આવે છે. તે નવા બંધારણમાંથી ચાર પુરુષાર્થની સંસ્કૃતિને રદ–બાતલ કરવામાં આવેલ છે. માત્ર ધમ નિર્બળ ન થાય, ત્યાં સુધી ધાર્મિક - માન્યતાઓને ઘણાં ઘણાં પ્રતિબંધ સાથે કામચલાઉ અને વર્તમાન પ્રજાના ક્ષણિક, સંતે માટે: થોડુંક સ્થાન આપ્યા વિના ચાલે તેમ નથી, માટે આપવામાં આવેલું છે. વાસ્તવિક રીતે તે, તે પણ ભ્રમણા ઉત્પન્ન કરીને, પ્રજાને પિતાના રક્ષણમાં બેદરકાર રાખવા માટેની યુક્ત પણ કેમ ન હોય?તે રીતે, “ધાર્મિક સ્વતંત્રતાના” બ્રામક મથાળા નીચે તે યુકિત ગોઠવી રાખેલી છે. આ ચેથી મહાહિંસા. ૩ આથી કરીને સાંસ્કૃતિક એવા પરંપરાગત આર્થિક, સામાજિક રાજ્યતાંત્રિક રચનાઓ પણ પલટાઈ રહેલી છે. નીતિઃ સદાચાર: ધર્મ: ન્યાયઃ વિગેરેમાં પણ પલટા લેવાઈ રહ્યા છે. શબ્દો તે જ રહે છે, પરંતુ, તેની વ્યાખ્યા: વ્યવહાર અને પરિણામે ઘણે અંશે બદલાવાઈ ગયા છે. અને બદલાવાઈ રહ્યા છે. આ અજબ ખુબી છે. તે આધાર ઉપર નવા શાસ્ત્રો પણ રચાઈ ગયા છે. આ પાંચમી મહાહિંસા, આથી કરીને, વ્યવસ્થા સુલેહઃ શાન્તિઃ વિશ્વશાન્તિઃ શસ્ત્ર નિયંત્રણ: આર્થિક સહાયઃ સંતતિ નિયમનઃ ધમને નામે થતી બલિ વગેરેની હિંસાની કરાતી રોકાસ્ટ: માંસાહાર વિરુદ્ધ-શાકાહાર પ્રચારઃ જીવદયાની આધુનિક સંસ્થાઓ: ઘાતકીપણે મારવા ઉપર પ્રતિબંધને નામે યાંત્રિક કતલખાનાઓથી જલ્દી મારનારી યોજનાઓને અઘાતકીપણે મારવાને નામે અમલઃ પોલીસતંત્ર: લશ્કરીતંત્ર: કાયદાઃ આરોગ્યાલઃ અનાથાલયોઃ શિક્ષાલ: પાર્લામેન્ટો: ધારાસભાઓઃ સુખ-સગવડેઃ આધુનિક દયા-દાનના ક્ષેત્રઃ વિગેરે સ્વરૂપથી અહિંસાના પ્રતીકે જણાતાં છતાં હિંસાના પોષકરૂપે ગોઠવાયેલા છે. કેમકે એ રીતે અનબંધમાં વ્યાપક હિંસાને વેગ મળી રહ્યો છે. કેમકે જનતાનું સાચી અહિંસા તરફનું લક્ષ્ય ચૂકવ વામાં એ સર્વે સહાયક થાય છે. આ છઠ્ઠી મહાહિંસા, - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy