SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી તરવાર્થાધિગમ ત્ર થઈ શકતી નથી. આથી જીવ અને પુદ્ગલની ગતિના કારણ તરીકે ધર્માસ્તિકાયની અને સ્થિતિના કારણ તરીકે અધર્માસ્તિકાયની સિદ્ધિ થાય છે. પ્રશ્ન :—જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિના માહ્ય કારણ તરીકે આકાશને માનવાથી ગતિ અને સ્થિતિ થઈ શકે છે. જેમ પાણી માછલીના આધાર હૈાવા ઉપરાંત ગતિ-સ્થિતિમાં પણ કારણ બને છે, તેમ આકાશને જ જીવ-પુદ્ગલના આધાર રૂપે અને ગતિ–સ્થિતિના કારણ તરીકે માનવાથી ઈષ્ટની સિદ્ધિ થઈ જાય છે. આથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને માનવાની જરૂર નથી. ઉત્તર : -જો આકાશ ગતિ-સ્થિતિમાં કારણ હાય તા. અલેાકાકાશમાં ગતિ સ્થિતિ કેમ થતી નથી ? અલેાકાકાશ પણ આકાશ છે. અલેાકાકાશમાં જીવ પુદ્ગલની ગતિ-સ્થિતિ ન હોવાથી આકાશ સિવાય અન્ય કાઈ એવું દ્રવ્ય હાવું જોઈએ કે જે છત્ર-પુદ્ગલની ગતિસ્થિતિમાં કારણ હોય, તથા જે ગતિમ કારણ હોય તે સ્થિતિમાં કારણ ન બની શકે. જે સ્થિતિમાં કારણ હાય તે ગતિમાં કારણ ન ખની શકે. આથી ગતિ અને સ્થિતિનાં જુદા જુદા કારણ રૂપે એ દ્રવ્યે હાવાં જ જોઈએ. આ બે દ્રવ્યે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. “ ગતિ રૂપે પરિણત છત્ર-પુદ્ગલેને ગતિમાં સહાયક બનવું” એ ધર્માસ્તિકાયનું લક્ષણુ છે. * સ્થિતિ રૂપે પરિણત જીવ* લક્ષણુ એટલે વસ્તુને આળખાવનાર અસાધાÁ ( બીજી વસ્તુમાં ન રહે તેવે ) ધમ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy