SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम् અનુયોગવારસૂત્રની વૃત્તિ લખેલી છે. અનુયોગદ્વાર ખૂલના અંતમાં કે હરિભદ્રીયવૃત્તિના અંતમાં લેખકની પ્રશસિ-પુષ્પિકાઆદિ કંઈ પણ લખેલું નથી, છતાં પ્રતિ અને લિપિના આકાર-પ્રકારના આધારે અનુમાનથી તેનો લેખનસમય વિકમની ૧૫ મી શતાબ્દી હોય તેમ લાગે છે. જ્ઞાનભંડારમાં આ પ્રતિનો કમાંક ૭૯ છે. ૪૦ પ્રતિ - શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) માં રહેલા શ્રીસંઘ ભંડારની તાડપત્ર ઉપર લખાયેલી પ્રતિ છે. પ્રતિની લિપિ સુવાચ્ય અને સ્થિતિ સારી છે. અને લંબાઇ-પહોળાઇ ૩૪ X૨ ઇંચ પ્રમાણ છે. પત્ર સંખ્યા ૧ થી ૪૩છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં તાડપત્રની પહોળાઈને અનુસરીને ઓછામાં ઓછી ચાર અને વધુમાં વધુ છ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૧૧૩ અને વધુમાં વધુ ૧૩૨ અક્ષરો છે. અંત્ય ૪૩ મા પત્રીની બીજી પૃષ્ટિમાં એક હંસયુગલનું, એક મયૂરયુગલનું અને એક સ્વસ્તિકયુક્ત સુંદર શોભનનું એમ ત્રણ રેખાચિત્રો બનાવેલાં છે. અંતમાં આ પ્રમાણે સંવત આદિનો ઉલ્લેખ છે - I/છા સમાળ મજુયોગા() નિ છાછાના यावद् गिरिनदीद्वीपा यावच्चंद्रदिवाकरौ। यावच्च जैनधर्मोऽयं तावन्नंदतु पुस्तकं ॥छ।छ।। मौलिलालितपदः क्षमाधरैर्यावदेव जिनधर्मभूपतिः । पाति साधुमितरं विडम्बते तावदस्तु भुवि पुस्तको ध्रुवः ॥छ।। सं० १४५६ वर्षे माघ सुदि १० बुधे त्रुटि [:] पूरिता:(ता) |छ।। श्रीस्तम्भतीर्थे वृद्धपौषधशालायां तपागच्छीयभट्टारि(र)कश्रीजि(ज)यतिलकसूरि तत्प्प(त्प)द्देश्रीरत्नसागरसूरितदुपदेसे (शे)न पुस्तकंल(लि)खापितं //છાત્રી:/છો. ૧. અનુયોગદ્દારસૂત્ર મૂલ, ૨. શ્રીજિનદાસગણિમહત્તકૃત અનુયોગદ્વારસૂત્રચૂર્ણિ અને ૩. મલધારગચ્છીય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિકૃત અનુયોગદ્વારસૂત્રવૃત્તિ એમ ત્રણ ગ્રંથવાળી એક પ્રતિ વિક્રમના ૧૪મા શતકમાં લખાયેલી; તેમાંથી અનુયોગદ્વારસૂત્રનો સમગ્ર મૂલપાઠનષ્ટ થયેલો અને અનુયોગદ્વારચૂર્ણિ તથા માલધારીયા ટીકાનાં અનેક પત્રો નષ્ટ થયેલાં. આ ત્રુટિત પ્રતિમાંના અનુયોગદ્વારસૂત્રના સમગ્ર પાઠને, ઉપર જણાવ્યા પ્રમાણે, સં. ૧૪૫૬માં શ્રી રત્નસાગરસૂરિજીના ઉપદેશથી લખાવીને પૂર્ણ કરવામાં આવેલો, અર્થાત્ સંપૂર્ણ અનુયોગદ્વારસૂત્ર લખાવ્યું છે. બીજા નંબરની અનુયોગદ્વાર ચૂર્ણિનાં ખંડિત પત્રોને ઉપર જણાવેલા શ્રી રત્નસાગરસૂરિના ગુરૂ શ્રી જયતિલકસૂરિએ સં. ૧૪૫૬ માં લખાવીને તે પૂર્ણ કરાવેલી છે; જ્યારે ત્રીજી અનુયોગદ્વારની મલધારીયા વૃત્તિના અંતનો અનુસંધિત વિભાગ આજે ઉપલબ્ધ નથી. વાઇ પ્રતિ - શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ માં રહેલા શ્રી વાડીપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી પ્રતિ છે. પત્રસંખ્યા ૩૨ છે. પ્રત્યેકપત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૭ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૫૮ થી ૬૦ અક્ષરો છે. લિપિ સુંદર છે. અને સ્થિતિ જીર્ણ છે. પ્રતિની લંબાઇ-પહોળાઈ ૧૨.૭૫ X ૫ ઇંચ પ્રમાણ છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની ગ્રંથસૂચીમાં આનો ક્રમાંક ૬૭૩૬ છે. અંતમાં લેખકની પુપિકા આ પ્રમાણે છે - अनुयोगद्वारसूत्रं सगाहा १६०४ श्लोक २०००॥छ।। शुभं भवतु ॥ संवत् १५३८ वर्षे मागसिर वदि १३ भौमे पुस्तकं लिखितं ॥छ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy