SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧૦ ઉછળતા હતા. વિધિ ચાલુ થતાં સામાયિક ઉચ્ચરાવવાનો અવસર થયો એટલે ગીત વાજીંત્રોનો નાદ બંધ થયો. સર્વત્ર શાંતિ ફેલાઈ અને ગુરૂ મહારાજાએ મનોહર દિવ્ય વાણીથી “નવકાર પૂર્વક કરેમિ ભંતે' નો પાઠ ત્રણવાર ઉચ્ચરાવ્યો અને મોતીચંદભાઈને પોતાના શિષ્ય તપસ્વી મુનિવર્ય શ્રી કસ્તુરવિજયજીના શિષ્ય તરિકે સ્થાપન કરી તેમનું ‘મણિવિજયજી' નામ આપ્યું. સુવર્ણમાં સુગંધ ભળી. વિનયી, વિવેકી, વૈરાગી મોતીચંદને ૧૮૭૭ માં ૨૫ વર્ષની વયે ચારિત્ર રત્ન પ્રાપ્ત થયું. ચોવિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું. આગલે દિવસે એકાસણું કર્યું હતું ત્યાર પછી પણ યાવત્ જીંદગી પર્યત એકાસણાથી ઓછી તપસ્યા કરી નથી. દીક્ષાવિધિ સંપૂર્ણ થઈ એટલે લોકો વૈરાગ્ય તરંગોમાં ઝીલતા મોતીચંદભાઇના ગુણોનું સ્મરણ કરતા સ્વસ્થાને ગયા. ગુરૂમહારાજાએ પણ નૂતન શિષ્ય સહિત અન્યત્ર વિહાર કર્યો. વિહારાદિ ચર્ચા બાલ્યાવસ્થામાં જ જેના કોમળ અંત:કરણમાં ઉચ્ચ સંસ્કારો સ્થાપિત થયા હતા તે મોતીચંદ હવે મોતીચંદ મટીને મણિવિજયજી બન્યા. આગાર છોડી આણગાર થયા. દુન્યવી પ્રપંચોથી વીરમી એકાંતે આત્મહિતના અવિચળ માર્ગના પ્રવાસી બન્યા. પૂજ્યપાદ શ્રી કીર્તિવિજયજી મહારાજશ્રીના ખેડાના પ્રથમ પરિચય વખતે તેમના દુગ્ધ સહોદર ઉજ્વલ હૃદયમાં ઉદ્ભવેલી પવિત્ર ભાવનાને તો લગભગ સાત વર્ષ જેટલો દીર્ધ સમય વીતી ગયો. આટલા સમય પર્વત ત માતા પિતાના સ્નેહ તંતુએ મોતીચંદભાઈને દઢ બંધનથી બાંધ્યા હતા તેઓ પણ સર્વ વિરતિના આવારક નિબિડ પ્રતિબંધકોને વિચારી તેને ત્રોડવા માટે ગૃહજીવનમાં પણ અણગાર જેવું જીવન વ્યતીત કરી રહ્યા હતા. છેવટે અંતરાય ત્રુટ્યો, તે શુભ સમય આવી પહોંચ્યો, અને પ્રવજ્યાના દઢ રંગી મોતીચંદભાઈની આશા સફળ થઇ. માતા, પિતા, બંધુ, ભગીની વિગેરે સ્વજન સંબંધી સ્નેહના દઢ બંધનો ક્ષણવારમાં ત્રોડી નાખ્યાં, સંસારની માયા છોડી. પૌદ્ગલિક સુખ વૈભવોનો પરિત્યાગ કર્યો. કારાવાસના ક્લિષ્ટ દુ:ખથી વિહ્વળ પ્રાણી જેમ શરણ્યનું શરણું અંગીકાર કરે તેમ મુનિવર્યશ્રીએ ગુરૂ વર્તુશ્રીના પવિત્ર ચરણે પોતાનું શીર ઝુકાવ્યું અને જીંદગી ભરને માટે તેમના અનુચર થયા. તેઓશ્રી જે આજ્ઞા ફરમાવે તેજ પ્રમાણે કરવું આવો દઢ નિશ્ચય તેમના ઉજ્વળ અંતરમાં સુવર્ણાક્ષરે કોતરાઈ રહ્યો. સુકોમળ શયામાં શયન કરનાર મોતીચંદભાઈએ આજે ભૂશયા સંથારા ઉપર શયન કરવાનો સ્વીકાર કર્યો. ઈષ્ટ મિટ ભોજનનો પરિત્યાગ કરી અંત પ્રાંત અરસ વિરસ ભોજનમાં જ સંતોષ વૃત્તિ ધારણ કરી પરિગ્રહ મમત્વ દશાને દેશવટો આપ્યો. પ્રયાણ માટે વાહન અને ઉપાનહના ઉપભોગ કરનાર મોતીચંદભાઈએ કાંટા કાંકરા અને કચરાથી ભરપૂર માર્ગમાં પણ અણવાણે પગે ચાલવાની વૃત્તિ અંગીકાર કરી. સમગ્ર વિશ્વ પ્રત્યે મૈત્યાદિ ભાવનાથી તેમનું હૃદય ઓતપ્રોત થયું. એક કુટુંબનો ત્યાગ કરી સમગ્ર વસુધાને પોતાનું કુટુંબ બનાવ્યું. પરભાવને છોડી સ્વરમાગતામાં જ મન વાળ્યું. પરિષહ અને ઉપસર્ગોના સૈન્ય બળને હંફાવવા સિંહ પરાક્રમી બન્યા. રણાંગણમાં મોહરાજનો વિજય કરવા ધર્મધ્વજા ધારણ કરી ધર્મધુરાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy