SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવે દુઃખ સહન કરવું તે. પરિષહ : જો કોઈ દેવ મનુષ્ય અથવા તિર્યંચો દુઃખ આપે તેને સહન કરવું તે ઉપસર્ગ કહેવાય છે. અને કુદરતી આવી પડેલી આપત્તિ સહન કરવી તે પરિષહ કહેવાય છે. તે ૨૨ છે. ૧. સુધા પરિષહ : ભૂખ લાગે તો અને યોગ્ય આહાર ન મળે તો સારી રીતે ભૂખ સહન કરવી. પરંતુ ખોટો દોષિત આહાર કે અભક્ષ્ય આહાર ન લેવો તે. ૨. પિપાસા પરિષહ : તૃષા લાગે અને શુદ્ધ નિર્દોષ પાણી ન મળે તો તરસ સહન કરવી. પરંતુ ખોટું દોષિત પાણી કે અકલ્પ પાણી ન પીવું તે. ૩. ૪. ૫. શીત પરિષહ : શિયાળા આદિમાં ઠંડી પડે તો સહન કરવી પરંતુ સાધુજીવન હોય તો રજાઈ-તાપણી આદિની ઈચ્છા ન કરવી તે. ઉષ્ણ પરિષદ : ઉનાળા આદિમાં ગરમી પડતી હોય ત્યારે ગરમી સહન કરવી પરંતુ પંખા, એરકંડિશન આદિની ઇચ્છા ન કરવી તે. દંશ પરિષદ જે મકાનમાં ઊતર્યા હોય ત્યાં ડાંશ-મચ્છર-માંકડનો ઉપદ્રવ હોય તો પણ તેને સહન કરવો. પરંતુ તેને મારવાની ઇચ્છા ન કરવી તે. અચેલક પરિષહ : સંયમી જીવનમાં શરીરને ઢાંકવા પૂરતું માત્ર બીન-કીમતી વસ્ત્ર પહેરવું, પરંતુ શરીરની શોભા, ટાપટીપ થાય તેવાં વસ્ત્રો ન પહેરવાં. અરતિ પરિષદ : સંયમમાં ઉદ્વેગ, અપ્રીતિ થાય તો તેનાં કારણો દૂર કરવાં તે; પરંતુ અપ્રીતિ ન કરવી. ઇત્યાદિ નવ તત્ત્વોમાં કહેલા ૨૨ પરિષદો જાણવા. ૬. ૭. ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy