SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નાની ઉંમર, સુંદર બુદ્ધિ, નિર્મળ ચિત્ત, ભણવા માટે હાર્દિક ધગશ, ઉત્તમ ધર્મગુરુનો યોગ ઈત્યાદિ અભ્યાસની તક એવી ઉજળી મળી કે જાણે સરસ્વતીની સાધનાનો સહયોગ સાંપડ્યો હોય તેવું બન્યું. અભ્યાસ કરવાની એવી લગની લાગી કે ૧૬૮૮ થી ૧૬૯૯ આમ માત્ર ૧૧ વર્ષ જેટલા નાના ગાળામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા, ધર્મશાસ્ત્રો, આગમ શાસ્ત્રો, પ્રાકરણિક ગ્રંથો, ઈત્યાદિ અનેક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. ઘણા-ઘણા શાસ્ત્રોમાં પારંગત થયા. આ બાબતમાં સુજસવેલી ભાસ'ની સાક્ષી ગાથાઓ આ પ્રમાણે છે – ગુજરઘર મંડા અો જી, નામે કનોડું ગામ, તિહાં વસે વ્યવહાર યોજી, નારાયણ એહવે નામ. તસ ઘરણી સોભાગદેજી, તસ નંદન ગુણવંત, લઘુ પણ બુદ્ધ આગળોજી, નામે કુંવર જસવંત. સંવત સોલ અચાસીએજી, રહી કુણગેર ચોમાસ, શ્રી નયવિજય પંડિતજી, આવ્યા કન્હોઉલ્લાસ. માતા પુત્રર્યું સાધુનાંજી, ચાંદી ચરણ સુવિલાસ, સુગર ઘર્મ ઉપદેશથીજી, પામી વૈરાગ પ્રકાશ. આણહીલપુર પાટણ જઈજી, શૂઈ ગુરુ પાસે ચારિત્ર, યશોવિજય’ એવી કરી, થાપના નામની તત્ર. પસિંહ બીજો વલીજી, તસ બાંઘવ ગુણવંત, તેહ પ્રસંગે પ્રેરીયોજી, તે પણ થયો વ્રતવંત. વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ, બહું તે સોલ અચાસીએજી, કરતાં યોગ અભ્યાસ. ગ્રંથકારશ્રીનો અવધાન પ્રયોગ : -------------- તે કાલે પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. સૌથી મોટા હતા. તેમની પાસે તથા પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.સા.ની પાસે અને અન્ય મહાત્માઓ પાસે પૂ. યશોવિજયજી મહારાજશ્રીએ અભ્યાસ કર્યો. ૧૧ વર્ષ સુધી સુંદર અભ્યાસ કરી વિક્રમ સંવત ૧૬૯૯માં ગુરુમહારાજની સાથે અમદાવાદમાં નાગોરીશાળાના ઉપાશ્રયે પધાર્યા. પૂજ્ય નયવિજયજી મહારાજશ્રીએ કહ્યું કે તમે શાસ્ત્રોનો સુંદર અભ્યાસ કર્યો છે. તેથી રાજનગરના જૈનસંઘ સમક્ષ કંઈક અદ્ભુતતા બતાવો. આ રીતે ગુરુજીની આજ્ઞા મળતાં ચતુર્વિધ શ્રી જૈન સંઘ સમક્ષ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ “આઠ અવધાન પ્રયોગ કરી બતાવ્યા. (આ પ્રયોગમાં જુદી જુદી આઠ વ્યક્તિઓ આઠ-આઠ પ્રશ્નો પૂછે. ૮૪૮=૬૪ આ ચોસઠ પ્રશ્નો ક્રમશઃ યાદ રાખીને તેના ક્રમશઃ જ સચોટ ઉત્તર આપવા. તે આઠ અવધાન કહેવાય છે.) આવા પ્રકારના અવધાન પ્રયોગથી પૂ. યશોવિજયજી મ. શ્રી ઉપર “રાજનગરનો શ્રી જૈન સંઘ” ઘણો જ ખુશ થયો. શ્રી યશોવિજયજી મ. શ્રીની કીર્તિ-પ્રશંસા
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy