SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૪ મારા આ ભોગો અને હું આ રીતે જ સદા રહેવાના છીએ. ઇત્યાદિ પ્રકારની આસ્થાવાળા જીવોને ધન્ય આશ્રયીને ૩૫નીકળ ગૌણ કર્યો છે દ્રવ્યાંશ (નિત્યાંશ) જેમાં એવી અને પર્યાયપ્રથાના પર્યાય કર્યો છે. મુખ્ય જેમાં એવી નિત્યશા =બુદ્ધ આદિ સર્વજ્ઞ મુનિઓની અનિત્યદેશના છે. પરંતુ સર્વજ્ઞ ગણાતા તે કપિલાદિ અને બુદ્ધાદિ મુનિઓ ન તુ તેડન્વયેવ્યતિરે વેવસ્તુતિનો જ મર્યાન્તિ અન્વય (ધ્રુવાંશ-દ્રવ્યાંશ) અને વ્યતિરેક (અનિત્યાંશપર્યાયાંશ)વાળી સર્વે વસ્તુઓ છે એમ જાણનારા નથી એમ નહીં. અર્થાત્ પોતે જાણે છે કે સર્વ વસ્તુઓ નિત્ય-અનિત્ય બે ભાવવાળી છે. કારણ કે સર્વે પદાર્થોમાં આ બન્ને ભાવો આ-બાલ-ગોપાલ અનુભવસિદ્ધ અને પ્રત્યક્ષ સિદ્ધ છે. જે અનુભવસિદ્ધ અને પ્રત્યક્ષસિદ્ધ હોય તે જો ન માને તો તેઓમાં “સર્વજ્ઞાનુપત્તેિ '=સર્વશપણું જ ઘટી શકે નહીં. જે પ્રત્યક્ષ જણાતું જ હોય, તેને જે ન સમજે અને ન માને તેને સર્વજ્ઞ કેમ કહેવાય? માટે તેઓ પણ પ્રતિવસ્તુએ આ બે અંશ છે એમ માનનારા અને જાણનારા જ છે. પરંતુ શિષ્યોના હિતની અનુકૂળતાને અનુસાર નિત્યાંશવાળી કપિલાદિની અને અનિત્યાંશવાળી બુદ્ધાદિની દેશના છે. પર્વ તેના તુ તથાણુનેન અતુષ્ટ પત્ર રૂાદ આ પ્રમાણે “શિષ્યોનું હિત (કલ્યાણ) કેમ થાય? એવો ગુણ આ દેશનામાં દેખાતો હોવાથી એકની પ્રધાનતાવાળી આ દેશના પણ નિર્દોષ જ છે. કારણ કે તે આ કપિલાદિ અને બુદ્ધાદિ સર્વજ્ઞ મહાત્માઓ પણ સંસારી જીવોના સંસાર-વ્યાધિ (જન્મ, જરા, મરણાદિ રૂપ ભવરોગ)ને દૂર કરવા માટે “ભિષશ્વર” (ઉત્તમવૈદ્ય) સમાન છે. સારાંશ એ છે કે સાધ્ય એવું “પરમતત્ત્વ” (મુક્તિ) એક છે. સર્વજ્ઞ (જ્ઞાનની અપેક્ષાએ) એક છે. પરમતત્ત્વનો માર્ગ ચિત્તવિશુદ્ધિ રૂપ એક છે. છતાં દેશના સાંભળનારા શિષ્યવર્ગોના કલ્યાણની અનુકૂળતાના આધારે સર્વજ્ઞોની દેશનાનો ભેદ હોય છે. પરંતુ તેઓમાં હીનાધિક જ્ઞાન કે મતભેદ હોતો નથી. અહીં એક વાત સ્પષ્ટ કરવાની ખાસ આવશ્યક્તા છે કે ઋષભદેવાદિ તીર્થંકર પ્રભુઓ ક્ષપકશ્રેણિ પામીને વીતરાગ થયેલા હોવાથી “સર્વજ્ઞ” છે તે વાત યથાર્થ છે. પરંતુ કપિલાદિ અને બુદ્ધાદિ મુનિઓ તો જૈનધર્મ પામેલા ન હોવાથી અને અન્યત્ર આવા પ્રકારનો મોહનો ત્યાગ અસંભવિત હોવાથી તેઓમાં વીતરાગદશા આવતી નથી. અને તેથી સર્વજ્ઞ બનાતું નથી. તો અહીં ગ્રંથકારે આ મુનિઓને “સર્વશ” કેમ કહ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy