SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પ્રથમ કર્મગ્રંથ ઉત્તર=પ્રશ્ન સાચો છે, પરંતુ તેવા જીવોમાં પણ શરીરનો કોઇ ભાગ સ્થિર અને કોઇ ભાગ અસ્થિર સમજવો, પૃથ્વીકાય-અકાય કે નિગોદના જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોવાથી આખું શરીર જોઇ શકાતું નથી તો ભાગની વાત તો ક્યાંથી જોઇ શકાય ? છતાં વનસ્પતિકાય જેવા જીવમાં થડ આશ્રયી, સ્થિર, અને શાખા-પ્રશાખા આશ્રયી અસ્થિર સમજી લેવું. તથા નાભિના ઉપલક્ષણથી મધ્યભાગવત્ આત્મપ્રદેશો સમજી ઉ૫૨-નીચેનો ભાગ શુભ-અશુભ સમજવો. પ્રશ્ન = પગના સ્પર્શથી દુ:ખ થાય છે માટે નાભિ નીચેના અવયવો અશુભ છે એમ સમજાવો છો પરંતુ સ્ત્રીના ચરણ-સ્પર્શથી પુરુષને ( અને પુરુષના ચરણ-સ્પર્શથી સ્ત્રીને ) પ્રીતિ થતી પણ દેખાય છે તો પગનો ભાગ અશુભ કેમ કહેવાય ? ઉત્તર = તેમાં મોહની પ્રબળતા’’ કારણ છે. જેમ વિષ્ટા અશુભ છે છતાં ભૂંડને તે ગમે છે. અને તેટલા માત્રથી તે શુભ થઇ શકતી નથી તેમ અહીં મોહને લીધે જીવને પગનો સ્પર્શ પ્રીતિ કરનારો બને છે, પરંતુ વાસ્તવિક નહીં, માટે અશુભ નામકર્મનો ઉદય છે તે બરાબર છે. (૭) દૌર્ભાગ્ય નામકર્મ માણસને અપ્રિય લાગે, તે દૌર્ભાગ્ય નામકર્મ. જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં સામેના (૮) દુઃસ્વર નામકર્મ = જે કર્મના ઉદયથી કાનને અપ્રિય લાગે તેવા ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય તે દુઃસ્વર નામકર્મ. (૯) અનાદેય નામકર્મ = યુક્તિ-યુક્ત બોલવા છતાં, હિતકારક વચનો કહેવા છતાં જે કર્મના ઉદયથી લોકો માન્ય ન કરે, લોકો માન- સન્માનવિનય ન કરે તે અનાદેય નામકર્મ. (૧૦) અયશ નામકર્મ = જે કર્મના ઉદયથી ચોતરફ નિંદા થાય, અપકીર્તિ ફેલાય, કોઇ પણ કામમાં અપજશ મળે તે અપયશ નામકર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy