SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગ્ચ દ્રસરિ ૨૧ વિનાશ થવાથી દુઃખ પામતા દે॰ તેાલાશાહને શાંત પાડી, ઉત્સાહિત કરવા તેમણે ભવિષ્યવાણી કરીકે, “ મહાનુભાવ ! તારા પુત્ર કર્માંશાહ શત્રુંજયતી ને માટેા ઉદ્ધાર કરાવશે.” આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યાં અને કાર્યસિદ્ધિ માટે ઉ॰ વિનયમ'ડનને ચિત્તોડમાં રાખ્યા. આ સમયે ગુજરાતમાં અમદાવાદની ગાદીએ મહમુદ બેગડા ( સ૦ ૧૫૧૬ થી ૧૫૭૦)ના મરણ પછી એક પછી એક વિ. સં૰ ૧૫૬૭ માં મુજફ્ફરશાહ, સ૦ ૧૫૮૨ માં ૧ અહમદશાહ, ૨, સિકંદરશાહ. તથા ૩ લઘુ મહુમ્મદશાહુ ખાદશાહે થયા. (-પ્રક૦ ૪૪, ગુજરાતના બાદશાહેા) બાદશાહ મુજફ્ફરના શાહજાદો મહારાહ નામે હતા. તે પેાતાના પિતાથી રિસાઈ ને ઈ.સ ૧૫૩૫ માં ચિત્તોડ ચાલ્યા ગયા. ને ત્યાં દેશી તાલાશાહના અતિથિ બની રહ્યો. આ સમયે શાહજાદા બહાદૂરશાહ અને દ॰ તેાલાશાહના પુત્ર દેશી કર્માંશાહુ વચ્ચે ગાઢ મૈત્રી થઈ હતી. શાહદાએ ગુજરાત જતાં પહેલાં દે॰ કર્માશાહ પાસેથી વાટ ખરચી માટે રકમ માગી. કર્માશાહે તેને વિના શરતે એક લાખ રૂપિયા આપ્યા. (-પ્રક૦ ૩૫ પૃ૦ ૨૦૩ ) બહાદુરશાહે લઘુ મહમ્મદના મરણુ બાદ સ૦ ૧૫૮૩ ના મહામાહ શુદિ ૧૪ ના રોજ ગુજરાતના બાદશાહ બન્યા. ( સ૦ ૧૫૮૨ થી ૧૫૯૩, સને ૧૫૨૬ થી ૧૫૩૭ ) આ તરફ દો॰ તેાલાશાહ “ પેાતાના પુત્રના હાથે શત્રુંજય તીના ઉદ્ધાર થશે એવી ભાવના ભાવતા મરણ પામ્યા, દે॰ કર્માશાહે આચાર્યશ્રીની ભવિષ્યવાણી પ્રમાણે પિતાની આજ્ઞા મુજબ શત્રુંજયતીર્થના માટેો ઉદ્ધાર કરવાના નિર્ણય કર્યો. ઉપા॰ વિનયમ’ડન તેમને નિર ંતર એ જ ઉપદેશ આપતા હતા. તપગચ્છના આ॰ વિજયદાનસૂરિ પણ જયારે ચિત્તોડ પધાર્યા ત્યારે દો॰ કર્માશાહને તીને જલદી ઉદ્ધાર કરવા માટે ઉપદેશ આપીને વધુ ઉત્સાહિત કરી ગયા હતા. ( -શત્રુ'જય-ન દિન જિન પ્રાસાદ પ્રશસ્તિ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy