SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણું સ્વર્ગગમન થયાં, તેઓ ભટ્ટાઇ દેવસુંદરસૂરિના ગુરુભાઈ હતા, રૂપાળા અને તેજસ્વી હતા. તેઓ મેટા વિદ્વાન હતા, પ્રૌઢ વ્યાખ્યાતા હતા, તેમણે ઉષિતભેજનકથા, યુવરાજર્ષિકથા સ્તંભનપાર્શ્વનાથનું હારબંધસ્તવન શત્રુંજયસ્તુતિ, અને ગિરનારસ્તુતિ વગેરે રચ્યાં હતાં. તેમણે મંતરેલી ધૂળની ચપટીથી મોટા મોટા “ઉપદ્ર” શાંત થતા હતા. (૨) આ૦ જયાનંદસૂરિ-તે વીરા પિરવાડના ત્રીજા પુત્ર હતા, તેમનાં સં૦ ૧૩૮૦માં જન્મ, સં૦ ૧૩૯૨ના અ૦ સુ ૭ ને શુક્રવારે ધારમાં દીક્ષા, સં. ૧૪૨૦ના ચૈત્ર સુ. ૧૦ ના પાટણમાં સિંહાક પલ્લીવાલના ઉત્સવમાં આચાર્યપદ અને સં૦ ૧૪૪૧માં સ્વર્ગગમન થયાં. (-ગુર્નાવલી પ્લેટ ૨૯૩ થી ૨૯૮ ઇતિપ્રક. ૪પ, પૃ. ૨૮૯, કલમ ૫ મી) આ૦ જયાનંદસૂરિને સૌથી મોટો ભાઈ સાજન નામે હતું, તે તેમને દીક્ષાની આજ્ઞા આપતે નહતે. છેવટે તે સાજન શાસનદેવીથી પ્રતિબોધ પાયે, ત્યારે તેણે તેમને દીક્ષાની અનુજ્ઞા આપી. તે આચાર્ય સરસ્વતી અને ચારિત્રલક્ષ્મીના, આધાર સ્થાન હતા. (–ગુર્વાવલી કલેક ર૯૯) આ૦ જયાનંદસૂરિના બીજા મોટા ભાઈ “વયજાની પુત્રી રૂપલદેવીએ સં. ૧૪૫૮-૫૯ પ્ર૦ ભાઇ સુર ૮ના રોજ પાટણમાં પઉમચરિય ગ્રં ૧૦૫૦૦ લખાવીને પાટણભંડારને આપ્યું. (-પ્રક. ૩૫ પૃ. ૬૬, પ્રક. ૪૫ પૃ૦ ૨૮૯) તેમના વ્યાખ્યાનમાં બ્રાહ્મણો પણ આવતા હતા. (-ગુર્નાવલી કલેક ૨૯૭) ગ્રન્થ–આ. જયાનંદસૂરિએ સં૦ ૧૪૧૦માં ગુજરાતીમાં ક્ષેત્ર સમાસ-રાસ, સંસ્કૃતમાં “સ્થૂલભદ્રચરિત્ર અને દેવા પ્રયંત્ર સ્તોત્ર શ્લેટ ૯રચ્યાં. મહેતુ મેઘવિજયજી ગણિવરે “ભવ્ય વિજયપ્રભસૂરિના રાજ્યમાં દેવા પડયંત્ર સ્તોત્રની “અવસૂરિ બનાવી. જેમાં તેમણે સારસ્વત વ્યાકરણુસૂત્ર' થી શબ્દસિદ્ધિ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy