SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ તેમના શિષ્ય વેણીકપાણ આ૦ અમરચંદ્રસૂરિને કલાગુરુ હતે, તેણે મંત્રી વસ્તુપાલ વિશે “સુકૃતસંકીર્તન મહાકાવ્ય” સર્ગઃ ૧૧ રચ્યું હતું. (-પ્રક. ૪૩, પૃ૦ ૭પર) - કવિ અરિસિંહે તેમાં ચાવડા, સોલંકી, અને વાઘેલાવંશને ઈતિહાસ રજૂ કર્યો છે. તેણે “કવિ રહસ્ય” નામે ગ્રંથ પણ રચે છે. આ૦ અમરચંદ્રસૂરિએ રચેલી “કવિકલપલતા અને તેમની કવિશિક્ષાવૃત્તિમાં પં. અરિસિંહે મદદ કરી હતી. કવિ જલ્ડણ મેઢે પિતાની સૂક્તમુક્તાવલીમાં આરસી (અરિસિંહ) નામથી તેનું સ્મરણ કર્યું છે. કવિ પાહણ–તેણે સં૦ માં આંબૂરાસની રચના કરી છે. દાનવીર જગqશાહ–તે કચછ ભદ્રાવતી નગરીને વરણાગ વંશને શ્રીમાળી જૈન હતો. સં. ૧૩૧૩, ૧૩૧૪, ૧૩૧૫ની સાલમાં ભારતવર્ષના ઘણા વિભાગમાં ત્રણ વર્ષનો દુકાળ પડ્યો હતો. મનુષ્ય, પશુ-પક્ષીઓ ટપોટપ મરવા લાગ્યા, ત્યારે જગડુશાહે સર્વસાધારણ જનતા માટે ૧૧૨ દાનશાળાઓ સ્થાપિત કરી, પાણીની પર બેસાડી, સૌને અનાજ–પાણી પૂરાં પાડયાં હતાં. એ સમયના બાદશાહ, રાજા-મહારાજાઓ પાસે પણ અનાજની મોટી તંગી હતી. જગડુશાહે તેઓને પણ અનાજને મેટો પૂરવઠે પુરે પાડો. જગદ્ગશાહે આ રીતે સૌને મદદ આપી બચાવી લીધા. આથી તેની જગજીવનદાર જગહૂ” તરીકેની નામના પ્રસિદ્ધિ પામી આજે પણ સાધારણ જનતા મોટા દાનવીર પુરુષને “જગડુની ઉપમા આપે છે. જગશાહ જેન આ દાનવીર હતે. (પ્રક૩૮, પૃ. ૩૭૭) ૧. 30 બુહલરે સને ૧૮૮૭ માં વિયેનાની ઈમ્પીરિયલ એકેડેમી એફ સાયંસીઝમાં સીટ જુન બેરીશના વોલ્યુમ ૧૧૯ માં “ડાશ સુકૃતસંકીર્તન” શીર્ષક લેખ લખ્યું છે. અને તેનું અંગ્રેજી ભાષાંતર “ઈડિયન રીકવેરી” ના વે લ્યુમઃ ૩૧ ના પૃ. ૪૭૩ થી ૪૫ માં છપાયું છે. આ છવદેવસૂરિ અને આ૦ અમરચંદ્રસૂરિ માટે જૂઓ (પ્રક. ૩૪ પૃ. ૫૪૬, પ્રક ૩૯ પૃ. ૪૧૯, પ્રક. ૪૩ પૃ. ૭૫૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy