SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૯૯ ૧૦. બાદશાહ શાહજહાં તે બા૦ જહાંગીરને ત્રીજો પુત્ર હતું. તેનું પૂરું નામ “શહાબુદ્દીન મહમ્મદના સાહેબ કીરાની શાહજહાં” હતું બેગમ નૂરજહાંના ભાઈ વજીર આસિફખાને બા, જહાંગીરના મરણ બાદ તેને દિલ્હીની ગાદીએ બેસાડયો હતો. તે હીટ સ. ૧૦૩૭ જમાદિ ઉસ્સાની મહિનાની તા. ૮મી ઈ. સ. તા. ૪-૨-૧૬૨૮, વિ. સં. ૧૬૮૪ મ. સુ. ૧૦ ને રાજ બાદશાહ બને. તે ત્રીશ વર્ષ સુધી બાદશાહ તરીકે રહ્યો. પછી શાહજાદા ઔરંગઝેબે હીરા સ. ૧૦૬૮ રમજાનની તા. ૧૭ મી, સને તા. ૯-૬-૧૯૫૮, વિ. સં. ૧૭૧૫ અષાડ વ૦ ૪ ને રેજ તેને આગરાના કિલ્લામાં કેદ કર્યો, અને તે હીટ સ. ૧૦૭૬ રજબ મહિનાની તા. ૨૬ મી, સને તા. ૨૨–૧–૧૬૬૬ વિ. સં. ૧૭૨૨ મા ઘ૦ ૧૩ ને રોજ આગરાના કિલ્લામાં મરણ પામે. આપણે બાજહાંગીરના જીવન પરિચયમાં વાંચી ગયા છીએ કે, બા. શાહજહાં ર૭ વર્ષને યુવાન શાહજાદે હતો. ત્યારે સને ૧૬૧૭ (વિ. સં. ૧૯૭૪-૭૫)માં પિતાના પિતા સાથે અમદાવાદ જઈ ઘણું મહિનાઓ સુધી રહ્યો હતો. તે અરસામાં ત્યાં આસકખાનની ખૂબસુરત કન્યા મુમતાઝમહાલને પર હતું. મુમતાઝે તા. ૨૪ -૧૦–૧૬૧૮માં શાહજાદા ઔરંગઝેબને જન્મ આપ્યું હતું. એ સમયે ઈગ્લેંડના રાજા જેમ્સને એલચી સર ટોમસ મ હતું, તથા શાહજહાંને પિતાના મામા શાંતિદાસ ઝવેરીને પણ પરિચય થયું હતું. તે તેમને બહુ માનબુદ્ધિથી જેતે હતું, અને તેમના પ્રત્યે ઘણો પ્રસન્ન હતા. બા. શાહજહાં મહ૦ ભાનુ ચંદ્ર ગણિવર પાસે ભણે હતે. ઉપાટ સિદ્ધિચંદ્રની સાથે રમ્યા હતા અને મહે૦ વિવેકહર્ષ ગણિવરના પરિચયમાં પણ આવ્યું હતું. આથી તે જૈન મુનિવરેથી પ્રભાવિત હતો. બાદશાહ શાહજહાંએ પિતાના રાજકાળ દરમિયાન ગુજરાતમાં ૧૩ સૂબાઓ મોકલ્યા હતા. તેમાં આઠમે શાહજાદ ઔરંગઝેબ સને ૧૬૪૪ થી ૧૬૪૬, દશમે મહમ્મદ દારા શિકોહ સને ૧૯૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy