SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ આપ્યાં છે, તેમાંનું એકે કલ્પસૂત્રની સ્થવિરાવલિમાં કે બીજી કોઈ તેવી પટ્ટાવલીમાં આવતું નથી. એટલે ઉમાસ્વાતિના સમય વિષે સ્થવિરાવલિના આધારે કંઈ કહેવું હોય તો વધારેમાં વધારે એટલું જ કહી શકાય કે, તેઓ વીરાત ૪૭૧ અર્થાત વિક્રમ સંવતના પ્રારંભની લગભગ ક્યારેક થયા છે, તે પહેલાં નહિ. આથી વિશેષ માહિતી અત્યારે અંધકારમાં છે. ૨, એ અંધારામાં તદ્દન આ પ્રકાશ નાખે એવું એક કિરણ તત્વાર્થસૂત્ર ઉપરના જૂના ટીકાકારના સમયનું છે, જે ઉમાસ્વાતિના સમયની અનિશ્ચિત ઉત્તરસીમાને મર્યાદિત કરે છે. સ્વપજ્ઞ મનાતા ભાષ્યને બાદ કરીએ, તો તત્ત્વાર્થસૂત્ર ઉપર જે સીધી ટીકાઓ અત્યારે મળે છે, તે બધીમાં પૂજ્યપાદની સર્વાર્થસિદ્ધિ જૂની છે. પૂજ્યપાદનો સમય વિદ્વાનોએ વિક્રમનો પાંચ-છ સૈક નિર્ધા છે; એટલે સૂત્રકાર વાચક ઉમાસ્વાતિ વિક્રમના પાંચમા સૈકા પહેલાં ક્યારેક થયા છે, એમ કહી શકાય. ઉપરની વિચારસરણી પ્રમાણે વાચક ઉમાસ્વાતિને વહેલામાં વહેલે સમય વિક્રમનો પહેલો સૈક અને મોડામાં મોડે સમય વિક્રમ પછી ત્રીજે–ચે સેંકે આવે છે. આ ત્રણ-ચાર વર્ષના ગાળામાંથી જ ઉમાસ્વાતિનો નિશ્ચિત સમય શોધવાનું કામ બાકી રહે છે. ૩. સમય વિષેની આ સંભાવનામાં અને ભાવિ શેધમાં ઉપયોગી થાય એવી કેટલીક વધુ વિગતો, જે તેમના તત્વાર્થસૂત્ર અને ભાષ્ય સાથે દર્શનાંતર તેમજ જૈન આગમની સરખામણીમાંથી ફલિત થાય છે, તે પણ અહીં આપવામાં આવે છે. એ વિગતે સમયનો ચોક્કસ નિર્ણય બાંધવામાં સીધી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy