SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર • ૨૯૧ આ માન્યાતાઓનું મૂળ કેટલીક કથાઓમાં દેખાય છે. બ્રહ્મચારીનું બોલેલું થાય જ, બ્રહ્મચારીના આશીર્વાદથી નિર્ધન ધનવાન થાય, વાંઝણી પુત્રવતી થાય, જેને માથે એનો હાથ હોય તેને કદી ક્યાંય પણ નિષ્ફળતા ન જ હોય, બહેરાઓ સાંભળતા થાય, મૂંગાઓ બોલતા થાય, જ્યાં એનાં પગલાં થાય ત્યાં લીલાલહેર જ હોય ! આ જાતની અનેક માન્યતાઓને એ કથાઓ પોષે છે, અને સાથે કોઈ સતીના કપાયેલા હાથ સાજા થયા, કોઈ સતીએ કાચે તાંતણે ચાલણી બાંધી કૂવામાંથી પાણી કાઢ્યું, કોઈ સતીને શૂળીનું સિંહાસન થયું, એ જાતના અનેક ચમત્કારોથી ભરેલાં વૃતાંતોને પણ રજૂ કરે છે. આથી જ સમાજમાં બ્રહ્મચર્યના પાલન કરતાં પૂજનનો અતિરેક થયેલો છે. લોકોનો મોટો ભાગ કોઈ જાતની ઐહિક કે પારલૌકિક આશા વિના શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે તૈયાર નથી. નામના બ્રહ્મચારીઓ હોંશેહોંશે પૂજાય છે. લોકો ઘરે તેમનાં પગલાં કરાવે છે, અને રોગીઓ રોગ મટાડવા, નિર્ધનો ધનવંત થવા, વાંઝિયા પુત્રવાન થવા બ્રહ્મચારી કહે તે કરવા તૈયાર હોય છે. આ સ્થિતિ તો આજકાલ આખા દેશમાં વ્યાપેલી છે. એનો લાભ લઈ કેટલાક ધૂર્તો બ્રહ્મચારીઓના સ્વાંગમાં રહીને ભોળા સમાજને લૂંટે છે અને મનમાન્યું ભોગવે છે. ટૂંકમાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ કહેવત ચરિતાર્થ થઈ જ રહી છે. ૧૨. કાકાસાહેબના પ્રશ્નો અને ઉપસંહાર પૂજ્ય કાકાસાહેબે બ્રહ્મચર્ય વિશે જૈન દૃષ્ટિએ વિચાર કરવા જે જે મુદ્દાઓ જણાવ્યા હતા તે નીચે આપીએ છીએ? ૧. બ્રહ્મચર્યનો ઉપદેશ નિરપવાદ છે કે સાપવાદ? ૨. પૂર્ણ બ્રહ્મચર્ય વગર મોક્ષ અસંભવિત છે એવી માન્યતા છે કે નહિ ? ૩. મોક્ષપ્રાપ્તિ ઉપરાંત બ્રહ્મચર્યનો અન્ય કોઈ હેતુ બતાવ્યો છે? ૪. મોક્ષસાધન તરીકે બ્રહ્મચર્યનો સ્વીકાર પરંપરાને લીધે થયો છે કે તકસિદ્ધ છે કે ખોજને પરિણામે જડ્યો છે? ૫. બ્રહ્મચર્યની વ્યાખ્યા શી? એમાં પણ તારતમ્યરૂપ ભેદ છે? ૬. માણસ પરણે નહિ, અન્ય રીતે વિષયસેવન કરે નહિ. સમાજમાં રૂઢ થયેલો સદાચાર પાળે અને સાધારણ રીતે યુક્તાહારવિહારી હોય તો એટલાથી એ આદર્શ બ્રહ્મચારી થઈ શકે, કે આદર્શ બ્રહ્મચારી થવા માટે વિશિષ્ટ સાધનવાળું જીવન ગાળવું જોઈએ ? ૭. બ્રહ્મચર્યની સાધના માટે આહારવિહારાદિના કયા કયા, કેવા કેવા નિયમો સૂચવ્યા છે ? એમાંના કેટલા પ્રત્યક્ષ અમલમાં મુકાતા હતા? અને કેટલા અતિશયોક્તિરૂપે છે? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy