SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ર • જૈન ધર્મ અને દર્શન કે વધારે પણ કરે, એક સ્ત્રીને પતિ એક જ હોય કે વધારે હોય, વિધવા પુર્નવિવાહ કરે કે નહિ અને કરે તો કઈ મર્યાદામાં, અમુક ઉંમર સુધી જ કુંવારા રહેવું યોગ્ય છે અને પછી નહિ, તેમજ વિવાહિત સ્થિતિમાં પણ વિષયસેવનની અમુક મર્યાદા હોવી જોઈએ. “ઋત માર્યમુખેચાત્' એ વિધાન કે તેના ઉલ્લંઘનમાં પાપ – વગેરે. દરેકનો સરખો અધિકાર નહિ હોવાથી લોકપ્રવૃત્તિના નિયમો સિવાય લોકસંગ્રહ અને લોકવ્યવસ્થા ન ચાલે અને ન નભે, એ વાત દીવા જેવી છતાં તેમાં ભગવાન મહાવીર ન પડડ્યા. એનું કારણ એ છે કે તેમને મન તદ્દન અપૂર્વ, લોકોત્તર અને આપવા જેવી વસ્તુ ત્યાગ જ હતી. ભોગ તો દરેક લોકો પોતે જ સાધી લે છે અને તેની વ્યવસ્થા ઘડી કાઢે છે. આવી વ્યવસ્થાનાં શાસ્ત્રો તે કાળે પણ હતાં અને પાછળથી પણ બન્યાં. તેવાં શાસ્ત્રોને જૈન પરંપરા લૌકિક શાસ્ત્રો કહે છે, અને નિવૃત્તિપ્રધાન જૈન શાસ્ત્રોને લોકોત્તર (આધ્યાત્મિક શાસ્ત્રો તરીકે વર્ણવે છે. જૈન ધર્મ અને જૈન શાસ્ત્રોની લોકોત્તર પ્રવૃત્તિ અલગ રહેવામાં છે. આ કારણથી પ્રાચીન જૈનાગમાં આપણને ગૃહસ્થની ભોગમર્યાદાના કશા જ નિયમો પૂરા પાડતાં નથી. તેથી ઊલટું, જૈન સંસ્થા એ મુખ્યપણે ત્યાગીઓની સંસ્થા હોવાથી અને તેમાં ઓછાવત્તા પ્રમાણમાં ત્યાગ લેનાર વ્યક્તિઓનું મુખ્ય સ્થાન હોવાથી બ્રહ્મચર્યને લગતી પુષ્કળ માહિતી મળી આવે છે. આ સ્થળે બ્રહ્મચર્યને લગતા કેટલાક મુદ્દાઓ તારવી તે ઉપર જૈન શાસ્ત્રોના આધારે કાંઈક લખવા ધાર્યું છે, તે મુદ્દાઓ આ પ્રમાણે : (૧) બ્રહ્મચર્યની વ્યાખ્યા. (૨) બ્રહ્મચર્યનાં અધિકારી સ્ત્રીપુરુષો. (૩) બ્રહ્મચર્યના જુદાપણાનો ઇતિહાસ. (૪) બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાયો. (૫) બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્તિ. (૬) બ્રહ્મચર્યના અતિચારો. (૭) બ્રહ્મચર્યની નિરપવાદતા. (૮) બ્રહ્મચર્યમાં એક ખાસ દૃષ્ટિ. (૯) બ્રહ્મચર્યમાં સાવધ રાખવા માટેની ઉપદેશૌલી. (૧૦) જૈન સૂત્રો અને વિવાહપદ્ધતિ. (૧૧) બ્રહ્મચર્યજન્ય સિદ્ધિ અને ચમત્કારો. (૧૨) કાકાસાહેબના પ્રશ્નો અને ઉપસંહાર. ૧. બ્રહ્મચર્યની વ્યાખ્યા જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય શબ્દની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા બહુ વિશાળ અને સંપૂર્ણ છે. એ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવન-સ્પર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાનો જ – જૈન પરિભાષામાં કહીએ १. 'ब्रह्मचर्यं सत्यतपोभूतदयेन्द्रियनिरोधलक्षणम् ।' - सूत्रकृतांग सूत्र, श्रुतस्कंध २, अध्य. ५, गाथा १ 'व्रतपरिपालनाय ज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च गुरुकुलवासो ब्रह्मचर्यम् अस्वातन्त्र्यं गुर्वधीनत्वं गुरुनिर्देशस्थायित्वमित्यर्थं च ।' – તત્ત્વાર્થrષ્ય, અધ્યાય ૧, સૂત્ર ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy