SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વહેમમુક્તિ • ૧૨૯ સમાજની ભૂમિકા ધર્મપર્વને નિમિત્તે શુદ્ધ તેમજ દૃઢ થવાને બદલે અશુદ્ધ અને નિર્બળ પડતી જાય છે. તેથી આ વિશે અહીં થોડો ઊહાપોહ કરવો યોગ્ય ધારું છું. પજુસણમાં બીજી ગમે તે ધર્મપ્રવૃત્તિ ચાલતી હોય, છતાં એમાં ભગવાન મહાવીરના જીવનનું વાચન-શ્રવણ મુખ્ય ભાગ ભજવે છે. હજારો વર્ષ થયાં આ પ્રથા પ્રચલિત છે. સારા સારા વિદ્વાન કહી શકાય એવા સાધુઓ, યતિઓ અને પંડિતો પણ એ વાંચતા અને સંભળાવતા આવ્યા છે. સમજદાર કહી શકાય એવા શ્રાવકો એને સાંભળતા આવ્યા છે. ભગવાનના જીવનનું વાચન-શ્રવણ એટલે ધર્મપર્વની આરાધના અને ધર્મપર્વની આરાધના એટલે વહેમોથી મુક્તિ મેળવવી તે. હવે આપણે જોઈએ કે ભગવાનની જીવનકથાના વાચન-શ્રવણના ધર્મદિવસોમાં આપણે વહેમોથી છૂટીએ છીએ કે વધારે અને વધારે વહેમોથી જકડાતા જઈએ છીએ. જો છૂટતા હોઈએ તો તો પ્રશ્ન જ નથી, પણ જો જકડાતા જતા હોઈએ તો નિઃસ્વાર્થ અને નિર્ભય એવા વિચારકવર્ગે લોકો સામે લાલબત્તી ધરવી જરૂરી થઈ પડે છે. જન્મ-પ્રસંગ લો. ભગવાનનો જન્મ થયો ને લાખો દેવ-દેવીઓ આવ્યાં. દિકકુમારીઓ શિશુને મેરુ ઉપર લઈ ગઈ અને મેરુનું કંપન પણ થયું. આ વર્ણનમાં કેટલું સ્વાભાવિક છે અને કેટલું હજાર પ્રયત્ન પણ સમજી શકાય તેવું નથી એનો વિચાર કોઈ વાચક કે શ્રોતા કરતો જ નથી. ઊલટું કહેવામાં એમ આવે છે કે એ તો મહાપુરુષોનાં જીવન છે, આપણાં સાધારણ જીવન નથી. જે સાંભળતા હોઈએ તેમાં માત્ર શ્રદ્ધા જ કરવી જોઈએ. શ્રદ્ધાના આ તત્ત્વ સાચી સમજની ઇચ્છા અને સાચી સમજના પ્રયત્ન ઉપર પડદો નાખ્યો, એટલે શ્રદ્ધા મજબૂત બની. તે એવી મજબૂત બની કે એને માટે હવે આગળ આવતા બધા પ્રસંગો વિશે એને કાંઈ પૂછવા, શોધવા કે સત્યાસત્યનો વિવેક કરવા જેવું રહ્યું જ નથી. આમલકી ક્રીડા જેવી મનુષ્યજીવન સુલભ બાળક્રીડાઓ આવી. ભગવાન સાથે માત્ર માનવબાળકો રમે તો ભગવાન શાના? રમતમાં દેવની વિકુર્વિત ગગનચુંબી કાયાને ભગવાન દબાવી ન શકે તો રામ અને કૃષ્ણ કરતાં ચડે કેવી રીતે ? એટલે લોકો પોતાના ભગવાનને બીજા ભગવાનો કરતાં વધારે ચડિયાતા માનવા-મનાવવાની ધૂનમાં એ વિચારવું જ ભૂલી ગયા કે મૂળે રમતમાં દેવ આવ્યાની વાત માનવા જેવી છે કે નહિ ? ભગવાન પોતે તો દેવોની મદદ વિના જ આગળ વધ્યા, પણ એમનું જીવન એવું લખાતું ગયું કે તે દેવોની મદદ વિના આગળ ચાલી શકે જ નહિ. એટલે સંગમ આવ્યો. કોઈ એ વિચાર નથી કરતું કે પહેલાં તો દેવને મહાવીરની સાધના વચ્ચે આવવાનું કોઈ કારણ જ નથી. પુરાણોમાં વિશ્વામિત્ર જેવા ઋષિઓની તપસ્યામાં ઈન્દ્ર મેનકાને મોકલી વિધ્ધ કરી શકે, પણ સ્વાભાવિક મનુષ્ય જીવનનો વિચાર કરનાર આગમ-ધર્મમાં એવી કલ્પનાને સ્થાન હોઈ શકે નહિ. સંગમ કોઈ હશે તોય તે સ્વેચ્છ પ્રકૃતિનો માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy