SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભવર-સઈ મહાતીય દંતકથા જેવી વાતા પ્રચલિત થયેલી છે. આ ભેાંયરાના મુખ્ય હેતુ, જ્યારે કાઈ રાજકીય કે એવા કાઈ આક્રમણને કારણે, આ તી ભયમાં મુકાઈ જાય ત્યારે, જૈનસ'ધ, ધર્મ અને આ તીના પ્રાણરૂપ જિનપ્રતિમાઓને સુરક્ષિત કરવા આ ભેાંયરામાં ભંડારી–સંતાડી દેવાના હતા. પણ પાછળથી આ ભેાંયરું સાવ અંધ કરી દેવામાં આવ્યુ છે. શ્રી સુધર્માંસ્વામીની મૂતિ 35 આ અંધ કરી દેવામાં આવેલ લેયરાવાળી દેરીથી આગળ વધીએ એટલે એની સામેના ખૂણામાં ૪૭ તથા ૪૮ એમ એ નંબરવાળી એક ોડિયા દેરી આવે છે, તેમાં ભગવાન મહાવીરના પાંચમા ગણધર અને વર્તમાન શ્રમણુ પરંપરાના આદિ ધ પુરુષ શ્રી સુધર્માસ્વામીની, શ્વેત સ ંગેમરમરની, ૩૧ ઈંચ ઊંચી, સુંદર પરિકરથી શૈાલતી મૂર્તિ છેક ખૂણામાં પધરાવેલી છે. એ મૂર્તિ વિક્રમની વીસમી સદીના જૈનસઘના મહાન પ્રભાવક આચાર્ય,તપગચ્છના શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી) મહારાજની પર'પરાના મુનિરાજ શ્રી હુ‘સર્વિજયજી મહારાજના સદુપદેશથી વિ॰ સ’૦ ૧૯૬૨ની સાલમાં અહી' પધરાવવામાં આવી હતી. એને શિલાલેખ પણ એના ઉપર કાતરેલા છે [ ચિત્ર નં. ૨૮]. આ દેરીમાં શ્રી મલ્લિનાથ ભગવાનની ઘણા ડાઘવાળા સફેદ જેવા આરસપહાણમાંથી ઘડેલી પ્રતિમા યાત્રિકનું ધ્યાન ખેંચે છે. એને જોઈ ને સહજપણે મનમાં સવાલ થાય છે કે મૂર્તિ કારે આવા દોષવાળા પાષાણુ કેમ પસંદ કર્યાં હશે ? અહી થી આગળ વધીએ એટલે પૂજામ`ડપમાંની છેલ્લી ખાવનમી દેરી સન્મુખ આપણે ઊભા ૯. આ ભોંયરું બંધ શા માટે અને કયારે કરી દેવામાં આવ્યુ. તેની એક કથા આ મણુિબહેને જ મને કહેલી, તે આ પ્રમાણે છે આશરે ૫ંચાંતેર વર્ષાં પહેલાં, ફ્રાગણુ સુદિ પાંચમના યાત્રામેળા વખતે, માણેકલાલના પિતાના માટા ભાઈ કાનજીભાઈ પણ ભદ્રેશ્વર ગયા હતા. એ વખતે કાનજીભાઈની ઉંમર પાંચેક વર્ષીની હતી. એ વખતે દેરાસરનું ભોંયરું ઉધાડુ રહેતું હતું. કેટલાક છેકરા દેરાસરમાં રમતાં રમતાં એ ભોંયરામાં ઊતરી ગયા; એમાં કાનજીમાઈ પણ સામેલ હતા અને એમના ગળામાં સેાનાની હાંસડી હતી. એક ઢિયા આ જોઈ ગયા; અને ભોંયરામાં ઊતરીને એણે કાનજીને પકડીને એના ગળામાંથી હાંસડી કાઢી લીધી. એનું બિહામણું રૂપ જોઈને ખીજા છેાકરાએ નાસી ગયા અને ભેયરામાં રહ્યા રહ્યા કાનજીભાઇએ બૂમાબૂમ કરી મૂકી. લાગ જોઈને પેલા ગિઠયા પશુ ત્યાંથી બહાર નીકળી ગયા અને મેળામાં ભળી ગયા. પછી કાનજીભાઈ જેમ તેમ કરીને બહાર આવ્યા. અને મેળાના માણસાની મદદથી, કાનજીભાઈએ લાલ પાઘડીના એંધાણુ પરથી પેલા ગિયાને ઓળખી કાઢવ્યો. ત્યારથી, કરી આવા બનાવ ન બને એટલા માટે, એ ભોંયરુ' હમેશને માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ વાત મણિ બહેનને એમની સાસુ કિસનબાઈએ કહી હતી. આ ભોંયરા બાબત શ્રી મણિહેને વિશેષમાં એવી વાત પપ્પુ કરી કે—આ ભોંયરુ છેક જામનગર સુધી પહેાંચતું હતું, અને એમાં થઈને જામનગરમાં રહેતા ( અંચળગચ્છના) એક ગારજી રાજ ભદ્રેશ્વરમાં એમના ગચ્છનાં અધિષ્ઠાયિકા મહાકાલી માતાનાં દન કરવા આવતા હતા. એ ભોંયરુ` બાર ગાઉ લાંબું હતુ. અને એમાં થઈને જામનગરથી બકાલું–શાકપાંદડું પણ ભદ્રેશ્વર લાવવામાં આવતું. પાઠિયા ઉપર બેસીને માણસ આવી શકે એટલું. ઊંચું. આ ભેાંયરું હતું, એમ લેાકેા વાત કરતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy