SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પટે શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ માટા તીથ ધામની આટલી હદે ઉપેક્ષા કરવા બદલ એમને મીઠા ઠપકા આપીને, જરૂર હાય તા, તીના ઉદ્ધાર માટે રાજ્યની તિજોરીમાંથી પૈસા આપવાની પણ વાત કરી. સ`ઘના અગ્રણીએ મહારાએની આગળ ખૂબ શરમિ`દા થઈ ગયા અને એમણે તીથ ને ઉદ્ધાર કરવાની ખાતરી આપી. આ સમય નળિયાનિવાસી મુંબઈના શાહ સાદાગર શ્રી નરશી નાથાના સમય હતા, તે જેમ ખૂખ સપત્તિશાળી હતા, તેમ એમની નામના અને લાગવગ પણ ઘણી હતી અને ધર્મનાં કાર્યો માટે તેઓ ખૂબ ઉદારતાથી ધન ખરચતા હતા. વળી, કચ્છના જૈન મહાજના પણ કંઈ નખળા ન હતા. આમ છતાં કેટલાય દાયકા સુધી શ્રી ભદ્રેશ્વર-વસઈ જેવા મેાટા જૈન તીર્થંની આવી શેાચનીય દશા કેમ થવા પામી હશે, એવા સવાલ સહેજે થઈ આવે છે. આમ થવાનું કારણ કંઈક એવું હાવાનેા સભવ છે કે વચ્ચેના કુદરતી આફતે અને રાજકીય અંધાધૂંધીના સમયના લાભ લઈ ને ભદ્રેશ્વર ગામના જે ઠાકારે તીના કબજો લઈ લીધેા હતેા તે( અને તેના અનુગામી), એવેા માથા ( એના ઇતિહાસની સાથે પરપરાગત કથાઓની હારમાળા જોડાયેલો છે; અને આ સદીના શરૂઆતના ભાગમાં ખંતવિજય નામે જૈન ગુરુએ એ એકત્ર કરી હતી; અને એમણે આ દેરાસરને જમીન વગેરેની જે સરકારી ભેટા ઇનામ તરીકે મળી હતી તે વસૂલ કરવા માટે દરેક જાતના પ્રયત્ન કર્યાં હતા) ડૉ. બન્ને સે આ તીની મુલાકાત લીધી ત્યારે યતિ શ્રી ખાંતિવિજયજી હયાત ન હતા; અને એમની આ નોંધમાંની માહિતીને ઉપયોગ બીજા ગ્ર ંથકારાએ પણ કર્યાં હતા. ડૉ. બન્ને સે આ તીર્થની મુલાકાત લીધી ત્યારે એના આગળના–પ્રવેશદ્વારના દેખાવ કુંભારિયાના મદિરના આગળના દેખાવને મળતેા હતા અને તે વખતે ત્યાં ન તા . પૂજામ`ડપ હતા કે ન એમાં જવા માટે બહારની બન્ને બાજુ બે નિસરણીઓ હતી. વળી, મદિરને પૂર્વ તરફના ભાગ પણું કંઈક જુદે હતા [ ચિત્ર નં. ૪૯, ૫૦ ], (નં. ૪૯ના ચિત્રને નં. ૪ અને ૫નાં ચિત્રો સાથે સરખાવે.) શિલાલેખશ્રી ભદ્રેશ્વર તીની રક્ષા માટે યતિ શ્રી ખાંતિવિજયજીએ જે કામગીરી બજાવી હતી, તેના મહારાએ શ્રી દેશળજી ખાવા ખીજાના નામેાલ્લેખ સાથે, ભદ્રેશ્વરના જિનમદિરના રંગમડપમાંના વિ॰ સ ૧૯૩૯ના સ`સ્કૃત ભાષાના માટા શિલાલેખમાં આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યા છે : “ રૂરૂ તિ વિમત્રો () () कानविंशतिशत कस्या (स्या, परिष्ठप्रथम द्वितीयदशके સં १६०१तः १६१७ यावत् श्री. देशलजी महाराज्ये श्रीदेशलजीमहाराजप्रदत्तपचूर सहाय्यं (य्य) तः श्रीक्षांतिविजयेनैतस्य किंचित् जीर्णઐયસ્ય સમાર્ચના વૃતા કૃતિ । ( અહીં વિક્રમની આગણીસમી સદી પછીના પહેલા બે દાયકા દરમ્યાન-સં ૧૯૦૧ થી ૧૯૧૭ સુધીમાં--શ્રી દેશલજીના મહારાજ્યમાં, શ્રી દેશલજી મહારાજે આપેલ ધણી મથી, શ્રી ખાંતિવિજયજીએ આ જ દેરાસરનુ કેટલું ક સમારકામ કરાવ્યું હતું. ) આ શિલાલેખમાંનું આ લખાણુ યતિ શ્રી ખાંતિવિજયજી તથા મહારા શ્રી દેશળજી બાવા ખીજાના પ્રયાસથી, વિક્રમની ઓગણીસમી સદી પૂરી થયા પછીના પહેલા દાયકા દરમ્યાન, આ મદિરનું સમારકામ થયાની પરંપરાગત વાતનુ", સમયની દૃષ્ટિએ પણ, સમન કરે છે, એ સ્પષ્ટ જોઈ શકાય છે. આ બધા ઉલ્લેખાના ભાવ એ છે કે છેલ્લે છેલ્લે યતિ શ્રી ખાંતિવિજયજીનાં ચિંતા અને ભક્તિભર્યા પ્રયત્નાથી આ તીનું સમારકામ અને રક્ષણુ થઈ શકયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy