SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ • માથુરી વિચારની આપણા સુધી આવી છે તેમાં તેમનો ફાળો શો હતો એ સ્પષ્ટ થશે. - ભારત વર્ષની એક વિશેષતા એ જણાય છે કે તેમાં જીવનને સમગ્ર રૂપે ગયું છે. ધાર્મિક-સામાજિક રાજકીય એવા જીવનના ખંડો નથી પણ જીવન સમયમાં ધર્મ ઓતપ્રોત છે. અને એ દૃષ્ટિએ જ ધર્મવિચારણા કરવામાં આવી છે. આનાથી જન્મથી જ નહિ પણ જન્મ પહેલાં પણ ધાર્મિક સંસ્કારવિધિ શરૂ થઈ જાય છે. અને તે છેક મરણપર્યન્ત નહિ પણ મૃત્યુ પછી પણ એ વિધિ ચાલુ રહે છે. ભગવાન મહાવીર સમક્ષ તે કાળે ધર્મનો જે વારસો મળ્યો તે વૈદિક અને શ્રમણપરંપરાનો હતા. વૈદિક પરંપરામાં ઉપનિષદોને કાળ એ મહાવીરકાળ છે. વેદ અને બ્રાહ્મણ કાળની જે યજ્ઞપરંપરા હતી તેમાં ઈન્દ્ર, વરુણ જેવા દેવોને તૃપ્ત કરી ભૌતિક સંપત્તિ મેળવવાનું ધ્યેય હતું, અથવા તો મૃત્યુ પછી સ્વર્ગ મેળવવાનો પ્રયત્ન હતો. આ માટેની ધાર્મિક વિધિમાં હિંસક યજ્ઞોનું પ્રાધાન્ય હતું. આવા ધાર્મિક યજ્ઞોનો વિરોધ ઉપનિષદમાં ક્યાંક ક્યાંક દેખાય છે અને સ્વર્ગ કે ભૌતિક સંપત્તિને સ્થાને બ્રહ્મપ્રાપ્તિ, જે પરમ આનંદમય આત્મસ્વરૂપ સિવાય કાંઈ નથી, તેને માટે માત્ર શ્રમણ ચિંતન-મનન નિદિધ્યાસન જેવાં સાધનોનો નિર્દેશ મળે છે. આમ તે કાળે આત્મપ્રાપ્તિ એટલે કે પોતાના આત્માને ઓળખવાનું ધ્યેય સિદ્ધ થયું હતું, અને તે કારણે હિંસક યજ્ઞોને સ્થાને જ્ઞાનયજ્ઞને પ્રચાર થવા લાગ્યો હતો, સારાંશ કે પ્રાચીન વૈદિક કર્મમાર્ગનું સ્થાન જ્ઞાનમાર્ગે લીધું હતું. છતાં પણ એ જાણવું જરૂરી છે કે પ્રાચીન કર્મમાર્ગ ઉપનિષદ વિચારણાને કારણે સર્વથા પરાસ્ત થયો હતો એમ તો કહી શકાય નહિ, પણ બ્રાહ્મણોનું વલણ ક્રમે કરી કર્મમાર્ગથી જ્ઞાનમાર્ગ તરફ વાળવામાં ઉપનિષદોને મહત્ત્વનો ફાળો છે એ સ્વીકારવું જોઈએ. કર્મમાર્ગ અને જ્ઞાનમાર્ગ એ બે એકાંતો છે. કર્મમાર્ગમાં હિંસક પ્રવૃત્તિનું પ્રાધાન્ય હતું. તે જ્ઞાનમાર્ગમાં સદાચરણ તરફ ઉપેક્ષા હતી. ઉપનિષદમાં પરિગ્રહના પાપ તરફ બહુ ધ્યાન આપવામાં આવ્યું નથી. ઉપનિષદના ઋષિઓ સપત્નીક છે અને સપરિગ્રહ પણ છે, મૈથુનદોષ એ મોટો દોષ છે એ હજુ ઉપનિષદમાં સિદ્ધ થયું નથી. સત્યની ઉપાસનાનું મહત્ત્વ સ્વીકૃત છે પણ જીવનવ્યવહારમાં પગપગ પર થતી હિંસાનો વિચાર કે તેનું નિવારણ કરવાના ઉપાયની ચિંતા તેમાં નથી, સારાંશ કે હજી અણગારધર્મ જે ભગવાન બુદ્ધ કે મહાવીરના સમયમાં દેખાય છે તેની પ્રતિષ્ઠા નથી. શ્રી મહાવીરની સમકાલીન જે શ્રમણપરંપરા હતી તેમાં પણ નિયતિવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy