SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. શાસ્ત્રાજ્ઞાઓનો હેતુ ભારતીય ધર્મોને વૈદિક, જૈન અને બૌદ્ધ એવી ત્રણ પરંપરામાં વહેંચી શકાય છે. ખ્રિસ્તી અને મુસલમાન એ બન્ને ધર્મો ભારતમાં છે, પણ એનું સંવર્ધન ભારતમાં નથી થયું. પારસી ધર્મ એ આર્યધર્મ છતાં આર્યધર્મની ભારતીય શાખાથી ભિન્ન એવી ઈરાની શાખાનો ગણાય છે. એટલે ભારતના મૌલિક ધર્મો ત્રણ જ છે. એટલે ભારતના મૌલિક ધર્મો ત્રણ જ છે : વૈદિક, જૈન અને બૌદ્ધ. એ ત્રણે ધર્મમાં આજ્ઞાનું શું સ્થાન છે એ વિશે આપણે જોઈએ. આજ્ઞા એટલે આદેશ. આદેશનો જ્યારે વિચાર કરીએ ત્યારે કોણે આદેશ આપ્યો અને કોને આપ્યો; એ ઉપરાંત શો આદેશ આપ્યો એ ચર્ચવું જોઈએ; પણ અહીં તો એ બધા વિશે વિવરણમાં ઊતરવાનું સ્થાન નથી. વૈદિક ધર્મમાં જે વેદ છે તે જ આદેશોનું મૂળ છે. વેદ એ સંસ્કૃત ભાષામાં છે; એટલે બીજી કોઈ પણ ભાષાના પુસ્તકની જેમ એ પણ કોઈ એક કે અનેક પુરુષની રચના હોવી જોઈએ એમ સામાન્ય માણસ કહે. પણ એ બાબતમાં ઐતિહાસિક અને વેદને ધાર્મિક પુસ્તક માનનારાઓમાં વિવાદ છે. ઐતિહાસિકો કહે છે કે કેટલાક કવિ અથવા ઋષિઓએ વિવિધ પ્રાકૃતિક દેવોની જે સ્તુતિઓ કરી તેનો સંગ્રહ એ વેદ છે. પણ વૈદિક ધર્મના અનુયાયીઓનો એક વર્ગ કહે છે કે વેદની રચના કદી કોઈ પુરુષે કરી જ નથી. જે કવિ અથવા ઋષિનું નામ વૈદિક ઋચાઓ સાથે જોડાયેલું છે. તેઓ તો માત્ર તે તે ઋચાઓના દષ્ટા હતા. એમને પણ એ ઋચાઓ પૂર્વપરંપરાથી મળી હતી; તેમણે એની રચના નવી કરી નથી. એ પૂર્વપરંપરા ક્યારે શરૂ થઈ એનો પત્તો લાગતો નથી. તે અનાદિ છે, તેથી વેદનો કોઈ કર્તા નથી, તે અપૌરુષેય છે. જે વર્ગ આ માન્યતાનો સ્વીકાર કરે છે તે ભારતીય વૈદિક પરંપરામાં મીમાંસક કહેવાય છે. વેદમાં દેવોની સ્તુતિઓ હતી. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy