SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. સંઘેચનો પ્રશ્ન જૈન પ્રકાશના પર્યુષણ વિશેષાંકમાં ઉપાધ્યાય પંડિતરત્ન શ્રી હસ્તીમલજી મહારાજનો એક લેખ ‘સંધ વ્યવસ્થા પર એક દૃષ્ટિ' છપાયો છે. આ જ પ્રમાણે જો મુખ્ય મુખ્ય મુનિરાજો પોતાના વિચારો સ્પષ્ટ કરે તો સંઘવ્યવસ્થાનું કાર્ય કરવાનો માર્ગ સરળ થવા સંભવ છે. અહીં તેમણે પોતાના વિચારો જે સ્પષ્ટ કર્યા છે તે માટે તેમના આભાર માનવા સાથે તે વિશે મારે જે કહેવાનું છે તે નમ્રતાથી રજૂ કરું છું. પ્રથમ તો સમગ્ર લેખ વાંચતાં અને તેનું મથાળું વાંચતાં એ સ્પષ્ટ થતું નથી કે મહારાજશ્રી સંવૈક્યમાં માને છે કે માત્ર સંધવ્યવસ્થામાં ? ભગવાન મહાવીરના ગણોનો દાખલો આપ્યો છે પણ જ્યાં સુધી ભ. મહાવીર હતા ત્યાં સુધી તે બધા ગણો મળીને પણ સંધૈય હતું જ અને તેના સર્વોપરી નેતા ભ. મહાવીર હતા. તેમના પછી બધા ગણોના સર્વોપરી નેતા સુધર્માસ્વામી બન્યા અને પછી પરંપરા ચાલી. પણ મહારાજશ્રીએ ગણો બનાવવાની વાત કરી છે પરંતુ એ વિભિન્ન ગણોના સર્વોપરિ નેતા કે પ્રધાન આચાર્ય જેવું કોઈ સ્થાન સંધવ્યવસ્થામાં રહેશે કે નહિ તે તેમના લેખથી સ્પષ્ટ થતું નથી. તેઓશ્રી એ વિશે ખુલાસો કરે કે ગણધરો જુદા જુદા નિયુક્ત થયા પછી તે સૌમાંથી કોઈ એક પ્રધાન ગણધર બનાવશે કે ? અથવા સૌ ગણધરોને માન્ય એવા કોઈ અન્ય મુનિરાજને આચાર્યનું સ્થાન આપવામાં આવશે ? અને તે કેવી રીતે આપવું તેની વ્યવસ્થા શી વિચારી છે ? વળી સમાન સમાચારીવાળા મુનિઓનો એક ગણ બને એમાં કાંઈ વાંધો ન હોય પણ ગણોને માન્ય એવી સામાન્ય સમાચારી ઘડવાનું વિચારાયું છે કે નહિ ? સંધૈકચ થયું તે પહેલાં જેમને મુનિરાજશ્રી ગણોના નામે ઓળખાવવા માગે છે તેવા સંપ્રદાય હતા જ અને તેમની વિચારણા પ્રમાણે ગણો ઉભા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy