SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ૦ માથુરી થનાર શાસ્ત્રો એ સમાજની ઉચ્ચ વર્ણોની જ અધિકારની વસ્તુ હતી અને શૂદ્રો તથા અનાર્યોનો તેમાં અધિકાર નથી એ માન્યતા હજુ પણ ચાલુ જ હતી. અને પરિણામે સંન્યાસમાર્ગ પણ વૈદિકોમાં ઉચ્ચ ગણાતા વર્ગને માટે જ હતો. નીચ ગણાતા વર્ણનો અધિકાર સંન્યાસી માર્ગમાં હતો નહિ. જ્યારે આથી વિરુદ્ધ સમાજમાં ગમે તે પ્રકારે ભેદો હોય—પછી તે આર્ય-અનાર્યના હોય કે વર્ણ-વર્ષેતરોના હોય, પણ ધાર્મિક અનુષ્ઠાન એ તો આત્માની વસ્તુ હોય ત્યાં એ ભેદોને કશું જ સ્થાન રહેતું નથી—આવી માન્યતા શ્રમણોમાં એટલે કે જૈન બૌદ્ધો આદિમાં તે કાળે હતી. દર્શનની દૃષ્ટિએ વિચારીએ તો ઉપનિષદ્કાળમાં અદ્વૈત દર્શન સ્થિર થયું, બ્રહ્મ એક જ છે, સંસારમાં દેખાતી બધી વસ્તુ——જડ ચેતન એ બધી વસ્તુ—એક બ્રહ્મ કે આત્માનાં જ વિવિધ રૂપો છેઆમ દાર્શનિક દૃષ્ટિ અભેદ તરફ ઢળી, પણ જીવનમાં—સામાજિક જીવનમાંએ દૃષ્ટિનું—એ દર્શનનું કશું જ પરિણામ ન આવ્યું. ત્યાં તો એવા ને એવા જ ભેદો પ્રચલિત રહ્યા અને તેને આધારે મનુષ્યોમાં ઊંચનીચ ભાવના ચાલુ રહી. દર્શન અને જીવનના આ વિરોધને ઉપનિષદ્કાળના વૈદિકોમાં નવો પ્રવિષ્ટ થયેલ જ્ઞાનયજ્ઞ કે સંન્યાસમાર્ગ નિવારી શક્યો નહિ એ તે કાળના સાહિત્યને આધારે કહી શકાય છે. વિભિન્ન આત્માઓ બ્રહ્મભૂત—એક જ છે એમ માનવા છતાં સામાજિક જીવનમાં વર્ણભેદ કાયમ જ રહ્યો. હા, માત્ર મુક્તાવસ્થામાં એ ભેદને સ્થાન ન રહ્યું એટલો સંતોષ માની શકાય. આથી આપણે જોઈએ છીએ કે ઉપનિષદ્ અને તેને આધારે રચાયેલ બ્રહ્મસૂત્ર અને તેના સમર્થ વ્યાખ્યાતા શંકરાચાર્ય જેવા અદ્વૈતના પરમ ઉપાસકો પણ શૂદ્રને વેદાધ્યયનના અધિકારી માની શક્યા નથી. આમ વર્ણભેદ એ તત્કાલીન વૈદિકોના જીવનમાં એટલો દૃઢ હતો કે ઉપનિષદનો અદ્વૈતવાદ પણ તેને નિવારી શક્યો નથી, અને દર્શન અને જીવનમાં સંગતિ લાવી શક્યો નથી એ સ્વીકાર્યા વિના છૂટકો નથી. આથી વિરુદ્ધ એ કાળના જૈનો અને બૌદ્ધોમાં ધાર્મિક અધિકારની બાબતમાં તે ધર્મોની દાર્શનિક માન્યતા કે સર્વજીવો સમાન છે અર્થાત્ સર્વસમાનતાની દાર્શનિક માન્યતા પ્રમાણે વર્ણભેદને કોઈ સ્થાન નથી મળ્યું. આર્ય કે અનાર્ય, બ્રાહ્મણ કે શૂદ્ર સૌનો સંન્યાસનો અધિકાર સમાન ભાવે માનવામાં આવ્યો હતો. અને એમને મતે ક્રિયાયજ્ઞ નહિ, પણ જ્ઞાનયજ્ઞનું મહત્ત્વ હતું. ઉપાસના એ માત્ર આત્માની કે પોતાની જ છે અને તે પણ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy