SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વનમાનવને સ્નેહતંતુ વિતાવ નકામો છે. ન માલુમ ક્યારે શું થાય, અને મુલતવી રાખવાનાં માઠાં ફળ જેવું બને! એટલે એણે તે ઘડ્યિાં લગ્ન લીધાં અને વલ્કલચીરીને પોતાની પુત્રી પરણાવી દીધી ! તાપસની કઠેર દુનિયામાં વસનારે વલ્કલચીરી સુંવાળા ઘર-સંસારનો રહેવાસી બની ગયે! વાહ રે ભાગ્યવિધાતા ! બિચારો વેશ્યાઓનો સંઘ ! એ ગમે તે હેતે વલ્કલચીરીને પિતનપુરના રાજમહેલમાં તેડી લાવવા; પણ રમત જેવું માનેલું કામ અધૂરું રહી ગયું ! તાપસ સમચંદ્રનાં દર્શન એ જીરવી ન શક્યો, અને વીલે મેં એ રાજા પ્રસન્નચંદ્રની પાસે આવી પહોંચ્યું. એની ભેઠપને કઈ પાર ન હતે. સંઘની નાયક વેશ્યાએ બધી વાત માંડીને કહી, અને છેવટે જાણે પિતાની પત જાળવતી હોય એમ બોલી : પણ મહારાજ, અમે આપના લઘુ બંધુને પિતન આશ્રમના નામે મેવા-મીઠાઈને એ સ્વાદ લગાડ્યો છે, અને કાયાને સુંવાળી અને રૂપાળી બનાવવાની એવી માયા લગાવી છે કે આજે નહીં તે કાલે પણ એ આ નગરમાં આવ્યા વગર રહેવાનું નથી એક વાર મધના સ્વાદના મેહમાં ફસાયેલે ભમરે ફરી કમળ ઉપર આવ્યા વગર રહે જ નહીં–ભલે ને પછી એ એમાં કેદ પકડાઈ જાય !” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy