SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ ઉલ્લંઘી શકાય તેમ નહતી. , અધિકારીઓને કડક રાજઆજ્ઞા મળી ચૂકી હતીઃ ગમે તેમ કરીને ખેડૂતો પાસેથી કર વસૂલ કરો! અને જે ખેડૂત કર ભરવાની આનાકાની કરે એને તરત જ રાજદરબારે હાજર કરે!” ખેડૂતે માટે તે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ હતી, પણ આમાંથી કેણ ઉગારે? રાજઆજ્ઞાને કેણ ઉથાપે? ખેડૂતેમાં ત્રાસ પ્રવર્તી રહ્યો. અધિકારીએ રાજ્યભરમાંથી ખેડૂતોનાં ટોળેટોળાને પકડી પકડીને રાજદરબારે હાજર કરવા લાગ્યા. કરની વસૂલાત માટે એમના ઉપર ન જોઈ શકાય એ ત્રાસ ગુજરવા લાગ્યા. અધિકારીઓ પણ ખેડૂતની વેદના જોઈ વિમાસણમાં પડી ગયા–એમનેય હૈયા હતાં અને એ પણ છેવટે તે કાળા માથાના માનવી જ હતા ને! પણ આ તે રાજઆજ્ઞા! એને અમલ તે ગમે તે રીતે થવો જ ઘટે! એક દિવસની વાત છે : દિવસ જરાક ઊંચે ચડ્યો, અને રાજકુમાર મૂળરાજ ફરવા નીકળ્યો. એણે જોયું કે બંદી જેવા લાગતાં માનવીઓનાં ટોળેટોળાં નગરની બહાર બેઠાં છે, અને સિપાહીઓ એમની ખડી ચોકી કરી રહ્યા છે. જાણે કેઈ ચેર-લૂંટારુઓનાં ટેળાં ન હોય! આ દશ્ય જોઈને રાજકુમાર વિચારમાં પડી ગયે. એણે પિતાના અંગરક્ષકને પૂછ્યું: “આટલાં બધાં માનવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy