SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧: વિદ્યાના પ્રેમી સામેશ્વરદેવને એ સમજતાં વાર ન લાગી કે આ બન્ને શ્રમણો જેમ જીવનના સાધક છે એમ જ્ઞાનના પણુ મળિયા છે. નાની નાની વચ્ચે સહજ રીતે મિલન રચાઈ ગયુ. સામેશ્વરદેવ અંતરમાં આનંદ આન ંદ અનુભવી રહ્યા. ઉદારતા એ જાણતા હતા કે ચૈત્યવાસીઓના નાયકની અનુમતિ વગર સુવિહિત સાધુને ઉતારો આપવો એ ગુનેા હતેા. પણ આજે એમનુ અંતર આવા કોઈ વિચારને તાબે થવા તૈયાર ન હતું. આંગણે આવેલા અતિથિ તા દેવતા ગણાય : ધર્મશાસ્ત્રોની એ આજ્ઞા : તે! પછી એમને જાકારા શી રીતે અપાય ? અને તેમાંય આ તેા જેવા જ્ઞાની તેવા જ સંયમી અને સત્સંગ કરવા જેવા સંત હતા. પછી તે એમણે બન્ને શ્રમણો સાથે ખૂબ વિદ્યાવાર્તા અને શાસ્ત્રચર્ચા કરી. છેવટે બન્ને આચાર્યાએ પેાતાની વાત સમજાવતાં કહ્યું : ‘મૂળ તેા અમે વેદધમના ઉપાસક, પણુ શ્રમધર્મ ની અહિંસાથી આકર્ષાઈ ને અમે આ ધર્મોના લેખ સ્વીકાર્યાં છે.’ પુરોહિત પણ ભારે સમજદાર અને ઉદ્ઘાર હતા. એમણે કહ્યુ', ‘સાનું તે ગમે ત્યાંથી પણ લઈ શકાય. એમાં મારાતારાપણાના ભેદને સ્થાન ન હોય !” પછી તે। અન્ય વિદ્વાનેાને પણ સામેશ્વરદેવે પેાતાને ત્યાં આમંત્ર્યા અને બધાએ આ આચાર્યં સાથે ખૂબ જ્ઞાનગોષ્ઠી કરી. અને શ્રમણોનાં જ્ઞાન, સરળતા, સહૃદયતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy