SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પદ્મપરાગ જગાડી દીધા. - ગુરુ શીલગુણસૂરિ પણ ગુર્જર ભૂમિના આ રતનને હમેશાં કેળવતા, શૂરાતનના પાઠ શીખવતા અને ગુર્જરપતિ થવાનો સાચે મારગ બતાવતા. આ રીતે ધન અને સૈન્ય ભેગું કરવાની મહેનતમાં તેમ જ લડાઈની સામગ્રી એકત્ર કરવામાં એનાં પચાસ વરસ–અડધી જિંદગી–વીતી જવા છતાં એ ન થાયે, ને નિરાશ થયે કે ન મનથી હારી ગયે. અને આખરે, એક દિવસ, વીર વનરાજના મનોરથ સફળ થયા. એણે પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એ ગુજરાતને રાજા બની ગયે. ગુજરાતની ધરતીને એણે પારકા રાજાના હાથમાંથી મુક્ત કરી, અને ઈતિહાસમાં એ ગુજરાતના પનોતા પુત્ર અને શૂરે સપૂત ગણાયે. પચાસ વરસે એ ગાદીએ બેઠે. સાઠ વરસ જેટલા લાંબા સમય સુધી એણે રાજ્ય ભેગવ્યું અને એક સે ને દસ વરસની ઉંમરે એ વિદેહ થઈને અમર બની ગયે. ગુજરાતના રાજા બન્યા પછી એણે પ્રજાને સુખી કરી હતી અને રાજ્યને મજબૂત બનાવ્યું હતું; છતાં શરૂઆતમાં એણે ચેરી અને લૂંટ કરેલી કે ધાડ પાડેલી એટલે બધા એના રાજ્યને ચોરટાઓનું રાજ્ય કહેતા. કેઈએને સાચા રાજા તરીકે અને એને રાજ્યને ન્યાયી રાજ્ય તરીકે માન ન આપતા. જ્યારે પણ આસપાસના રાજાઓનાં નામ લેવાતાં ત્યારે વનરાજને સહુ લૂંટારે કહીને જ ઓળખતા ! | વનરાજને આ કલંક બહુ જ સાલતું. પણ ગામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy