SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈનધર્મ ચિંતન દુઃખના નિવારણના માગ ખતાવવામાં જ રસ છે; અને જે કાંઈ ધર્મના નામે કરે તેના ફળના રસ અહીં તે અહીં જ કેમ ચાખી શકાય તેનું વિવરણ કરવામાં રસ છે. બાકીની બધી વાતે ફાક ખાંડવા જેવી તેઓ માને છે. આથી ભગવાન મહાવીરની જેમ ત્રણે લાકની અને તેમાં રહેનારા જીવાની ચિંતા બુદ્ધુને નથી, પણ તેમની સામે ઊભેલ મનુષ્ય તે જ ક્ષણે ધર્મ પામીને ત્યાં જ ધમના રસને આસ્વાદ લેતે કેમ થાય, એની જ ચિંતા યુદ્ધ કરે છે. આથી કહી. શકાય કે મુદ્દે એક વ્યવહારુ ઉપદેશક છે, જે સીધે માગ બતાવવામાં રસ ધરાવે છે. (૨) ધગત તથા સદ્દગત ભગવાન મહાવીરના ધમાં, પ્રથમ કહ્યું તેમ; કઠેર ચર્યાં ઉપર ભાર છે, જ્યારે ભગવાન બુદ્ધના ધની ચર્યાં મધ્યમ માર્ગે ચાલે છે. કઠેર ચર્ચાની મર્યાદા આંકી શકાય, પણ મધ્યમ માની મર્યાદા આંકી શકાય નહીં. બે છેડાની વચ્ચેનો મા ધણા લાંખે। હોય છે. અને તેમાં આત્યંતિક શિથિલ અને આત્યંતિક કઠેર એ બેની વચ્ચેનો તરતમભાવ અનેક રૂપે ધારણ કરે છે. પરિણામે આચારનું એક નિશ્ચિત સ્તર અધાતું નથી. પરિણામે, આપણે જોઈ એ છીએ કે, જૈન સંધમાં શ્રાવક હોય કે સાધુ હાય પણ તેના આચારની એક નિશ્ચિત મર્યાદા આપણે જાણી શકીએ છીએ અને એ મર્યાદા બહાર જનારને એળખી પણ શકીએ છીએ. કારણ કે આચારનું એક નિશ્રિત ધારણ બાંધી શકાય છે. આને લાભ જૈન સંધને મળ્યે!; અને તેથી જૈન આચારને સ્તર બાંધી શકાય છે. પણ ઔદુધમ અને સધમાં મધ્યમમા માનેલ હેાઈ આચારનું એક નિશ્ચિત ધારણ બાંધી શકાય એમ રહ્યુ નહી. પરિણામે કાળભેદે અને દેશભેદે આચારનાં ધારણા નિશ્ચિંત રહી શક્યાં નહીં. પરિણામ આવ્યું કે તિબેટનો બૌધ અને સિંહલનો બૌધમ બુદ્ધાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy